ભારતીય સંસ્કૃતિને દૂષિત કરતાં હની સિંહના ગીતો : હાઈકોર્ટ
ચંડીગઢ, 15 મે : ફરી એક વાર અશ્લીલ ગીતો અંગે ચર્ચામાં રહેનાર હની સિંહ ચર્ચામાં છે. આ વખતે તેમના ચક્કરમાં પંજાબ સરકારને પણ સાંભળવુ પડ્યું છે. હાઈકોર્ટે અશ્લીલ ગીતો ગાનાર હની સિંહ વિરુદ્ધ પંજાબ સરકારને ફટકાર લગાવી છે કે તેણે હની સિંહ વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરી?
કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ જસબીર સિંહ તથા ન્યાયાધીશ આર. કે. જૈનની બેંચે પંજાબ સરકારને તત્કાળ હની સિંહ ઉપર અંકુશ મૂકવા જણાવ્યું છે, કારણ કે બેંચને લાગે છે કે હની સિંહના ગીતો ભારતીય સંસ્કૃતિને દૂષિત કરી રહ્યાં છે. હાઈકોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું કે હની સિંહ જેવા ગાયકોનો બહિષ્કાર કરી દેવો જોઇએ.
નોંધનીય છે કે હાઈકોર્ટે આ ટિપ્પણી તે અરજી ઉપર સુનાવણી દરમિયાન કરી કે જે હની સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં જણાવાયુ હતું કે હની સિંહના અશ્લીલ ગીતો ભારતીય સંસ્કૃતિ માટે ઘાતક સાબિત થઈ રહ્યાં છે.