Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

“નેશનલ એવોર્ડ ન મળવાનું મને કોઇ દુઃખ નથી..”

આલિયા ભટ્ટે કહ્યું કે, તેને ઉડતા પંજાબ માટે નેશનલ એવોર્ડ ન મળવાનું કોઇ દુઃખ નથી.

આ વર્ષે તમામ એવોર્ડ ફંક્શન્સમાં બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ પર આલિયા ભટ્ટ નો કબજો રહ્યો હતો. ફિલ્મ ઉડતા પંજાબ માં તેની શાનદાર એક્ટિંગ માટે દર્શકો, ક્રિટિક્સ અને તમામ જૂરીના સભ્યોએ કરણ જોહરની આ સ્ટૂડન્ટને વિનર જાહેર કરી હતી. લોકોને લાગી રહ્યું હતું કે, આ વર્ષે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પણ આલિયા ભટ્ટને ફાળે જશે. જો કે, બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ આલિયા ભટ્ટની જગ્યાએ મલાયમ અભિનેત્રીને ફાળે ગયો છે.

alia bhatt

આલિયા ભટ્ટને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે ખૂબ સ્વસ્થતા સાથે આ સવાલનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું, પ્લીઝ.. મને નેશનલ એવોર્ડ ન મળવાનું બિલકુલ દુઃખ નથી. લોકોને ઉડતા પંજાબ ફિલ્મ પસંદ આવી હતી અને હજુ તો મારી પાસે ઘણો સમય છે. માટે મને ખરાબ નથી લાગ્યું અને તમે પણ આ વાતે નિરાશ ન થાઓ.

ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટને હાલમાં જ લોકમત એવોર્ડ એનાયત થયો છે અને આ વાતે તે અત્યંત ખુશ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ કરશે, તો તેણે હસતા-હસતા જવાબ આપ્યો કે, રણબીર કપૂર પણ અહીં જ છે. તમે એમને જ પૂછી લો કે તે દત્ત બાયોપિકનું શૂટિંગ ક્યારે પૂરું કરવાના છે. એ પછી જ અમે ડ્રેગન પર કામ શરૂ કરીશું.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ડ્રેગનનું શૂટિંગ દત્ત બાયોપિક બાદ શરૂ થશે. આ ફિલ્મના ડાયરેક્ટર છે, અયાન મુખર્જી. અયાને જ આ ફિલ્મ લખી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X