રીમેકમાં વિશ્વાસ નથી, સન્ની છે અસલી મર્દ : અનિલ શર્મા
મુંબઈ, 18 સપ્ટેમ્બર : બૉલીવુડમાં મોટાપાયે ફિલ્મોની રીમેક બની રહી છે, પણ પોતાની આવનાર ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટની રિલીઝ માટે તૈયાર ફિલ્મ નિર્માતા અનિલ શર્મા કહે છે કે તેમને રીમેક બનાવવામાં જરાય વિશ્વાસ નથી.
ગદર : એક પ્રેમ કથા, ધ હીરો : લવ સ્ટોરી ઑફ ઍ સ્પાઈ તથા અપને જેવી ફિલ્મો બનાવનાર અનિલ શર્મા પાસે કામ કરવા માટે તમામ નવા વષયો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું - હું રીમેકમાં વિશ્વાસ નથી ધરાવતો. મારી પાસે મારા પોતના વિષયો છે, તો કોઇક દક્ષિણની ફિલ્મની રીમેક કેમ બનાવું. હું અહીં પોતાની ફિલ્મ બનાવવા માટે છું, બીજાઓની નકલ કરવા માટે નથી.
અનિલ શર્મા કહે છે કે 56 વર્ષીય અભિનેતા સન્ની દેઓલ જ બૉલીવુડની અસલી મર્દ છે. તેમણે જણાવ્યું - દર્શકો તેને લઈને ઉત્સાહિત છે. સન્ની બૉલીવુડના અસલી મર્દ છે. અમને ટીઝર પ્રત્યે હકારાત્મક પ્રત્યાઘાતો સાંપડ્યા છે. આ એક દમદાર પાત્ર છે અન તેના માટે સન્ની દેઓલ જેવા દમદાર અભિનેતાની જ જરૂર હતી. હીરોએ શક્તિશાળી હોવો જોઇએ. અંતે સૌ કોઈ સન્ની જેવું થવા માંગે છે. સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ દ્વારા ઉર્વશી રૌતેલા ફિલ્મ જગતમાં પગલું મૂકવા જઈ રહ્યાં છે.