Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’નો મહા એપિસોડ આજે રજુ થશે

Iss Pyaar Ko Kya Naam Doon
અમદાવાદ, 14 સપ્ટેમ્બર: સ્ટાર પ્લસના રોમેંટિક શૉ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં'માં બહુ મોટો ટ્વિસ્ટ આવનાર છે. આપ વિચારતાં હશો કે અરનવ-ખુશી ફરીથી જુદા થવાના હશે.

આપ બરાબર વિચારો છે, કારણ કે હકીકતમાં આ બંને ફરીથી જુદાં થઈ શકે છે અને આ જુદાઈ જોવા મળશે 15મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે, જ્યારે આ સીરિયલનો મહા એપિસોડ રજુ થવાનો છે.

આ મહા એપિસોડ દરમિયાન દર્શકોને ઘણાં બધાં રોમેંટિક દૃશ્યો તો જોવા મળશે, પણ સાથે-સાથે આ દરમિયાન અરનવના દાદી અને ખુશી-પાયલના મમ્મી ગરિમાનો પણ આમનો-સામનો થશે. તેના પછી તો જે ધડાકો થશે, તેનું અનુમાન કરી શકાય છે. શક્ય છે કે ફરી એક વાર અરનવ-ખુશીનાં લગ્ન અટકી જાય, કારણ કે ખુશી-પાયલની મમ્મી ગરિમા જ અરનવના પિતાની પ્રેમિકા છે.

આ વાત જાણ્યાં બાદ અરનવ ગુસ્સાથી લાલચોળ થઈ જશે અને તેના પછી જે થશે તે આપ સમજી શકો છો. ફરી એક વાર ખુશી-અરનવ મળતાં-મળતાં રહી જશે.

તો પ્રેમ અને દર્દ દર્શાવતા આ શૉને જોનારાઓ માટે એટલો જ સંદેશો છે કે કહાનીનું રસપ્રદ પાસું મિસ ના કરતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X