જિયા સુસાઇડ કેસ: સુરજ પંચોલીને હાઇકોર્ટે આપ્યા જામીન
આખરે અભિનેત્રી જિયા ખાન સુસાઇડ કેસમાં ફંસાયેલા આરોપી સુરજ પંચોલીને આજે હાઇકોર્ટે જામીન આપી દીધા છે. સુરજ પંચોલી 10 જૂનથી ન્યાયિક તપાસ હેઠળ હતા. શુક્રવારે એટલે કે 21 જૂનના રોજ સુરજ પંચોલીની જામીન અરજી સેશન કોર્ટે એવું કહીને ફગાવી દીધી હતી કે હજી આ મામલામાં સુરજ સાથે હજી પૂછપરછ કરવાની બાકી છે.
એવું કહીને કોર્ટે સુરજ પંચોલીને 11 જુલાઇ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો હતો. હાઇકોર્ટે સુરજને 5000 બોન્ડ પર જામીન આપ્યા છે. સાથે સાથે સુરજનો પાસપોર્ટ પણ જમા કરી લીધો છે. સુરજને જુહુ પોલીસ સામે એક-એક દિવસ છોડીને હાજરી આપવી પડશે. હાઇકોર્ટે કહ્યું કે કોર્ટનું કહેવું છે કે સુરજ પહેલા પણ ઘણા દિવસ(21 દિવસ) જેલમાં રહી ચૂક્યા છે અને પોલીસ તેમની પર્યાપ્ત પૂછપરછ કરી ચૂકી છે. તેમની સામે કોઇ પૂરાવો રજૂ કરવામાં પણ પોલીસ નિષ્ફળ રહી છે માટે તેમને જેલમાં રાખવાનો પણ કોઇ અર્થ નથી.

ઉલ્લેખનીય છે કે જિયા ખાને 3 જૂનના રોજ રાત્રે પોતાના ઘરમાં ફાંસી લગાવી લીધી હતી. જિયાની આત્મહત્યાનું કારણ શું છે તેને જાણવા માટે પોલીસ દરેક સંભવ પ્રયત્નો કરી રહી છે. જ્યારે જિયાની માતા રાબિયા ખાને પણ જિયાના પ્રેમી સુરજ પંચોલી પર ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. રાબિયા ખાનના જણાવ્યા અનુસાર સુરજે જિયાનો ઉપયોગ કરીને તેને છોડી દીધી હતી જેના કારણે જિયાએ આત્મહત્યા કરી.












Click it and Unblock the Notifications
