Shock: આત્મહત્યા નથી, મૌત પછી જિયા ખાનને લટકાવવામાં આવી
જિયા ખાનની આત્મહત્યા કેસમાં એક બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીએ કેટલાક તાજા ખુલાસા કર્યા છે. જે વાસ્તવિક રિપોર્ટથી બિલકુલ અલગ જ છે. બ્રિટિશ એક્સપર્ટ પેન જેમ્સની રિપોર્ટ અનુસાર જિયા ખાનની આત્મહત્યાનો સીન પુરી રીતે નાટકીય હતો.

આ રિપોર્ટનું માન્યે તો જિયા ખાનની ગર્દન અને ચહેરાના નિશાન સાફ જણાવે છે કે તે આત્મહત્યાનો કેસ નથી. જિયા ખાનના હોઠ પર જે નિશાન હતા તે દાંતના નથી. પરંતુ ચોટના નિશાન હતા જે જબરજસ્તી મોઢાને ઢાંકવાથી આવે છે.

સીબીઆઈની રિપોર્ટ અનુસાર હોઠ પર નિશાન દાંતના હતા જે ફાંસી લગાવ્યા પછી ગળું ઘૂંટાવાથી આવે છે. પરંતુ બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીના જણાવ્યા અનુસાર દુપટ્ટાથી આવા નિશાન આવવા શક્ય જ નથી.

હવે જોવાનું એ છે કે જિયા ખાનની માતા રાબિયાની અપીલ કોર્ટ માને છે કે નહીં. કારણકે આ રિપોર્ટ એક બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીની છે જે સીબીઆઈ કરતા એકદમ વિપરીત છે.

ત્યાં બીજી બાજુ સુરજ પંચોલીના પિતા આદિત્ય પંચોલીનું કહેવું છે કે આ રિપોર્ટ ખોટી છે. પૈસા આપીને આવી રિપોર્ટ બનાવી શકાય છે. કારણકે આ રિપોર્ટ પ્રાઇવેટ એજન્સીની છે.

જિયા ખાને આત્મહત્યા કરતાં પહેલાં જે 6 પાનાનો છેલ્લો પત્ર લખ્યો હતો તે એનાં બેડરૂમમાંથી મળી આવ્યા બાદ પોલીસે સૂરજને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તે પત્રમાં જિયાએ સૂરજ સાથે તેનાં બગડેલા પ્રેમસંબંધનો ઉલ્લેખ કર્યો છે.

જિયાના ઘરના સભ્યોને આ સુસાઇડ નોટ ઘરની સાફ-સફાઈ દરમિયાન મળીહતી. તેમણે આ નોટ પોલીસને સોંપી દીધી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સુસાઇડ નોટમાં રાઇટિંગ જિયાની છે કે કેમ? જોકે જિયાના અંતિમ સંસ્કાર બાદ તેમના માતા રાબિયા ખાને સૂરજ પંચોલી સામે આરોપ મૂક્યો હતો કે તેણે મારા પુત્રી સાથે દગો કર્યો. મારી પુત્રી માસૂમ હતી. સૂરજે તેનો ભરોસો તોડ્યો.

જિયા ખાનના માતાનું કહેવું છે કે સૂરજ પંચોલી જ તેમની દીકરીના મોત માટે જવાબદાર છે. જિયા ખાન દ્વારા લખાયેલ 6 પાનાના સુસાઇડ લેટર પણ આ જ બાબતની ગવાહી આપે છે કે સૂરજ પંચોલીના દગાએ જિયા ખાનને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો.

જિયા ખાન સૂરજ દ્વારા સગર્ભા પણ થયા હતાં અને પછી તેમણે ગર્ભપાત કરાવ્યુ હતું. પરંતુ આમ છતાં જિયા ખાન સૂરજ પંચોલી ઉપર આંખ બંધ કરી ભરોસો કરતા રહ્યાં.


-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં










Click it and Unblock the Notifications
