જિયાની સુસાઇડ નોટ હસ્તલેખન નિષ્ણાંતને મોકલાશે
મુંબઈ, 18 જૂન : જિયા ખાનની છ પાનાની સુસાઇડ નોટ હસ્તલેખન નિષ્ણાંતને તપાસ માટે મોકલાશે. એક પોલીસ અધિકારીએ જિયા ખાન દ્વારા આત્મહત્યા અગાઉ લખેલ છ પાનાના પત્રનું લખાણ જિયા ખાનના લખાણ સાથે મેળ ન ખાતો હોવાની વાતોને મીડિયાની અટકળ ગણાવી અને જણાવ્યું કે આ પત્ર ફૉરેંસિક પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

મુંબઈ (પશ્ચિમ)ના વધારાના પોલીસ કમિશ્નર વિશ્વાસ નાંગરે પાટિલે જણાવ્યું - જિયા ખાન આત્મહત્યા કેસ હજી ત્યાંનો ત્યાં જ છે. તેમાં કોઈ નવા ખુલાસા નથી થયાં. મીડિયામાં અત્યાર સુધી આવેલી એવી તમામ ખબરો અટકળો જ છે કે જિયાના પત્રની રાઇટિંગ જિયાની રાઇટિંગ સાથે મળતી નથી આવતી. પોલીસ તરફથી આવું કોઈ નિવેદન અપાયુ નથી. પત્ર હવે ફૉરેંસિક તપાસ માટે મોકલવામાં આવશે.
નોંધનીય છે કે બૉલીવુડ અભિનેત્રી જિયા ખાને ગત 3જી જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. જિયા ખાન માત્ર ત્રણ જ ફિલ્મો કરી શક્યા હતાં. આત્મહત્યા કરતા અગાઉ કથિત રીતે જિયાની સુસાઇડ નોટ મળી આવી હતી કે જેમાં તેમણે પોતાના બૉયફ્રેન્ડ સૂરજ પંચોલી સાથે વણસતા સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. જિયાના નાના બહેન કવિતાએ જણાવ્યું - આ માત્ર અટકળો છે. સુસાઇડ નોટ જિયા ખાને જ લખી છે. વગર કારણે કોઈ એવું કેમ કરશે? આ કેસમાં સૂરજની ગત 10મી જૂને ધરપકડ કરવામાં આવી હતી. સૂરજની જામીન અરજી ઉપર સુનાવણી 21મી જૂને થનાર છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
