જૉન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયાને થયો કોરોના, બંને ઘરમાં ક્વૉરંટાઈન
અભિનેતા જૉન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના પૉઝિટિવ થઈ ગયા છે.
મુંબઈઃ અભિનેતા જૉન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના પૉઝિટિવ થઈ ગયા છે. જૉને જણાવ્યુ કે એ બંને સંપૂર્ણપણે વેક્સીનેટેડ છે અને તેમને હળવા લક્ષણ છે. જૉન અને તેની પત્ની પ્રિયા બંનેને ઘરમાં જ ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે. જૉનનુ કહેવુ છે કે તે 3 દિવસ પહેલા કોઈના સંપર્કમાં આવ્યા હતા જેમનો કોરોના રિપોર્ટ બાદમાં પૉઝિટીવ આવ્યો હતો.

જૉન અબ્રાહમે સોશિયલ મીડિયા પર આપી માહિતી
જૉન અબ્રાહમે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આની આખી માહિતી આપી છે. તેમણે લખ્યુ, 'હું ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો જે બાદમાં કોરોના પૉઝિટિવ નીકળ્યા. પ્રિયા અને મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અમે બંને ઘરમાં ક્વૉરંટાઈન છીએ અને કોઈના સંપર્કમાં આવ્યા નથી. અમે બંનેએ વેક્સીન લઈ લીધેલી છે અને અત્યારે હળવા લક્ષણ છે. પ્લીઝ ઠીક અને હેલ્ધી રહો. માસ્ક પહેરીને રાખો.'
દેશભરમાં ફરીથી વધ્યો કોરોના વાયરસનો ખતરો
તમને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસનુ સંક્રમણ એક વાર ફરીથી ઝડપથી વધી રહ્યુ છે. નવા વેરિઅંટ ઓમિક્રૉનના વધતા કેસો સાથે મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. સામાન્ય લોકો સાથે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યુ છે કે રાજ્યના 10 મંત્રી અત્યાર સુધી કોવિડ પૉઝિટિવ થઈ ચૂક્યા છે. વળી, મુંબઈમાં સક્રિય કેસનો આંકડો 20 હજારને પાર જતો રહ્યો છે. એવામાં મહારાષ્ટ્રમાં પ્રતિબંધો વધી શકે છે. આ પહેલા ડાયરેક્ટર રાહુલ રવૈલ, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર, અર્જૂન કપૂર, રણવીર શૌરીનો દીકરો અને અર્જીન કપૂરની બહેન અંશુલા પણ કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી. કરીના કપૂર અને અમૃતા અરોરા, સોહેલ ખાનની પત્ની સીમા અને સંજય કપૂરની પત્ની મહીપ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
