સંતાનો માટે ટીવી એડ કરે છે કાજોલ

મુંબઈ, 13 સપ્ટેમ્બર : બૉલીવુડના દમદાર અભિનેત્રીઓમાંના એક કાજોલે પોતાના કૅરિયરની ટોચે લગ્ન કરી ઘર વસાવી લીધું. ખાસથી લઈ સામાન્ય મહિલા અને યુવતીઓની પ્રેરણા તેમજ આદર્શ કાજોલ ફિલ્મોમાં ઓછાં, ટેલીવિજન એડમાં વધારે નજરે પડે છે. તેનું એક ખાસ કારણ છે અને તે છે તેમના સંતાનો. કાજોલ હાલ બે બાળકો ન્યાસા (10) તથા યુગ (3)ના લવિંગ અને કૅરિંગ મધર છે.

kajol

કાજોલનું કહેવું છે કે તેમના માટે તેમના સંતાનો કોઈ પણ બાબત કરતા પહેલા છે. બસ વધુ એક-દે વરસની વાત છે કે જ્યારે મારા બાળકો સમજદાર થઈ જશે. ત્યારે હું આરામથી ફિલ્મોમાં સક્રિય થઈ જઇશ. હું ટીવી એડમાં એટલા માટે નજરે પડુ છું, કારણ કે એડના શૂટિંગમાં ઓછો સમય લાગે છે. ઓલે અને વ્હર્લપૂલ જેવી જાહેરખબરોમાં નજરે પડનાર કાજોલે તાજેતરમાં હગીજ વંડર પૅંટ્સનું લૉન્ચિંગ કર્યું છે.

કાજોલે જણાવ્યું - સંબંધો પર ધ્યાન આપવું જરૂરી છે. હું અને અજય સાથે ખુશ છીએ. દરેક સંબંધમાં તાલમેલની જરૂર હોય છે. મેં પોતાના સંબંધમાં તાલમેલ બેસાડ્યું છે. કાજોલ ટુંકમાં જ બૉલીવુડમાં કમબૅક કરવાના છે. તેઓ પોતાના પતિ અજયની નિર્માણ કંપની દ્વારા બનનાર ફિલ્મ દ્વારા કમબૅક કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X