કન્નડ એક્ટર દર્શનના મેનેજરનુ મોત, શું આની પાછળ છે કોઈ મોટો રાઝ, રેણુકા સ્વામી કેસમાં આવ્યો નવો વળાંક
Darshan Thoogudeepa: ફેમસ કન્નડ ફિલ્મ એક્ટર દર્શન થૂગુદીપા અત્યારે હેડલાઈન્સમાં છે. રેણુકા સ્વામીની હત્યા કેસમાં અભિનેતાની ધરપકડ થઈ ચૂકી છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે કન્નડ અભિનેતા દર્શનના મેનેજરે તાજેતરમાં આત્મહત્યા કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, દર્શનના મેનેજર શ્રીધર અભિનેતાના બેંગલુરુ ફાર્મહાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મેનેજરે એક સુસાઈડ નોટ અને મેસેજ તરીકે એક વીડિયો પણ મુક્યો છે. તેની સુસાઇડ નોટમાં, દર્શન થૂગુદીપાના મેનેજરે ખુલ્લેઆમ એકલતા અનુભવવા વિશે લખ્યું છે અને કથિત રીતે ઉલ્લેખ કર્યો છે કે તે તેના મૃત્યુની જવાબદારી પોતાના માથે લઈ રહ્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્યુસાઈડ નોટમાં દર્શનના મેનેજર શ્રીધરે પોતાની એકલતાની લાગણીનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો છે. વીડિયો દ્વારા મેનેજરે ખુલાસો કર્યો છે કે તેણે જે કંઈ કર્યું છે તેની સંપૂર્ણ જવાબદારી તે પોતે લઈ રહ્યો છે. હાલમાં, પોલીસ શ્રીધરના મૃત્યુના કેસની નજીકથી તપાસ કરી રહી છે.
કન્નડ અભિનેતાના મેનેજરે એવા સમયે આત્મહત્યા કરી છે જ્યારે રેણુકા સ્વામી હત્યા સંબંધિત કેસમાં દર્શનની તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે રેણુકા સ્વામી મર્ડર કેસમાં આરોપી તરીકે નામ આવ્યા બાદ 12 જૂન 2024ના રોજ દર્શનની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, રેણુકાએ અભિનેતાની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ પવિત્રા ગૌડાને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા, જેના પછી દર્શન ખૂબ ગુસ્સે થઈ ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દર્શને કેટલાક લોકોને મોટી રકમ આપીને રેણુકાનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને મારી નાખવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં દર્શન બાદ કન્નડ અભિનેત્રી પવિત્રા ગૌડાની પણ પોલીસે ધરપકડ કરી હતી.












Click it and Unblock the Notifications
