For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશજીની આરતી કરીને ખરાબ રીતે ટ્રોલ થયા કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ, જાણો કારણ

સોશિયલ મીડિયા પર આ તસવીરો પોસ્ટ કર્યા પછી અચાનક લોકોએ કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહને ખરાબ રીતે ટ્રોલ કરવાનુ શરૂ કર્યુ. ચાલો જાણીએ મામલો શું છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હાલમાં મુંબઈના દરેક જગ્યાએ ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકોથી લઈને મોટા સેલેબ્સ પણ પોતાના ઘરમાં ભગવાન ગણેશની પૂજા કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો ગણપતિ પૂજાની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. આ ક્રમમાં પ્રખ્યાત અભિનેતા કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહે પણ સોશિયલ મીડિયા પર તેમના ઘરની ગણપતિ પૂજાની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર આ તસવીરો પોસ્ટ કર્યા પછી અચાનક લોકોએ કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહને ખરાબ રીતે ટ્રોલ કરવાનુ શરૂ કર્યુ. ચાલો જાણીએ મામલો શું છે.

કૃષ્ણા અભિષેકે કરી ગણપતિ પૂજા

કૃષ્ણા અભિષેકે કરી ગણપતિ પૂજા

અભિનેતા કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહે ગણેશ ચતુર્થીના શુભ તહેવાર પર તેમના ઘરે ગણપતિ બાપ્પાનુ સ્વાગત કર્યુ અને તેમની જોરદા પૂજા-અર્ચના કરી. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને ભગવાન ગણેશની આરતી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ પણ જોવા મળી રહી છે. આ વીડિયોમાં સોશિયલ મીડિયા યુઝર્સે કંઈક એવુ જોયુ જેના કારણે આ કપલ ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યુ છે.

લોકોએ કરી દીધુ આ કપલને ટ્રોલ

વાસ્તવમાં, ગણેશ ચતુર્થીના અવસર પર કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આરતી કરતી વખતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે. જો કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સની નજર ઘરની દિવાલ પર પડી હતી. વીડિયોમાં દેખાતી દિવાલને જોતા એવુ લાગે છે કે તેના પર પ્લાસ્ટર પણ નથી થયુ અને તે ખરાબ રીતે તૂટી ગઈ છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સે કપલને ખરાબ રીતે ટ્રોલ કર્યુ છે. જો કે તેના ચાહકોનુ માનવુ છે કે એવુ પણ બની શકે છે કે તે દિવાલની પેટર્ન કંઈક આવી હોય.

કૃષ્ણાએ શો છોડવા માટે જણાવ્યુ આ કારણ

તમને જણાવી દઈએ કે હાલમાં જ એવી અફવાઓ ઉડી હતી કે કૃષ્ણા અભિષેક અને કપિલ શર્મા વચ્ચે કેટલાક મતભેદો છે જેના કારણે કૃષ્ણા અભિષેક ઉર્ફ સપનાને શોમાંથી બહાર કરી દેવામાં આવી છે. આ અંગે કૃષ્ણાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યુ હતુ કે- મને ખબર નથી કે આવી અફવા કોણ ફેલાવી રહ્યુ છે, કપિલ શર્માનો મારી સાથે કોઈ વિવાદ થયો નથી. અમે ખૂબ સારા મિત્રો છીએ. આજે રાત્રે હું અને કપિલ સાથે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છીએ. હું તેને પ્રેમ કરુ છુ અને તે મને પ્રેમ કરે છે. એ મારો શો પણ છે. હું માત્ર થોડા દિવસો માટે બ્રેક લઈ રહ્યો છુ. હું ટૂંક સમયમાં 'ધ કપિલ શર્મા શો'માં પાછો આવીશ.

English summary
Krushna Abhishek and wife Kashmera Shah got trolled on performing aarti of Ganeshji, know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X