ચેન્નઈ, 19 માર્ચ : દિલ્હીમાંથી ઊભી થયેલી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી અને તેના નેતા અરવિંદ કેજરીવાલ એક બાજુ અનાયાસે ચર્ચામાં રહેતા હોય છે અને બીજી બાજુ પોતે સ્વપ્રયત્ને પણ ચર્ચામાં રહેવા માટે વિવિધ નાટકો કરતાં રહે છે. જે કંઈ હોય, પરંતુ અરવિંદ કેજરીવાલની ચર્ચા ચૌરેને ચોટે ચાલતી જ હોય છે.
લોકસભા ચૂંટણી 2014ના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે કેજરીવાલનું નામ વધુ ચર્ચામાં આવી ગયું છે. ચૂંટણી અને રાજકારણના લીધે ચર્ચામાં રહેતા અરવિંદ કેજરીવાલ ધીમે-ધીમે સોશિયલ મીડિયા અને યૂ ટ્યુબ ઉપર પણ હૉટ ટૉપિક્સ બની ગયાં છે, તો હવે સાઉથની એક ફિલ્મ અંગે પણ કેજરીવાલની ચર્ચાઓ છેડાઈ ગઈ છે. હકીકતમાં તેલુગુ ભાષાની એક ફિલ્મ બની રહી છે કે જેનું નામ છે ક્રેજીવાલા. ક્રેજીવાલા બોલતાં કેજરીવાલ જેવું જ બોલાય છે અને એટલે જ ભ્રમ પેદા થઈ ગયો છે કે આ ફિલ્મ અરવિંદ કેજરીવાલ પર આધારિત છે. જોકે તેના દિગ્દર્શકે એ બાબતનો ઇનકાર કર્યો છે, પરંતુ ક્રેજીવાલા ફિલ્મની જે તસવીરો જારી થઈ છે, તેમાં તો ફિલ્મના હીરો એમ એસ નારાયણ સાચે જ અરવિંદ કેજરીવાલના લુકમાં જ દેખાય છે.
આપને વિશ્વાસ નથી થતો? તો જોઈ લ્યો ક્રેજીવાલા ફિલ્મની આ તસવીરો :
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
આખા દેશમાં આવનારી લોકસભા ચૂંટણીની રાહ જોવાઇ રહી છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
જ્યાં રાજકીય દળો એકથી એક ચઢિયાતી રેલીઓ યોજીને પ્રચાર કરી મતદારોને લોભાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
બીજી તરફ ફિલ્મ અને ટીવી જગત પણ મતદારોને જાગરુક કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
દેશના
રાજનેતાઓ
પર
ફિલ્મ
બનવી
એ
સામાન્ય
વાત
છે,
પરંતુ
ચૂંટણી
પહેલા
ફિલ્મ
રજૂ
થાય
તો
તે
ખાસ
બની
જાય
છે.
તેથી
તેલુગુ
ફિલ્મ
‘ક્રેજીવાલા'
ઘણી
ચર્ચામાં
છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
આ ફિલ્મને લઇને કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આધારિત છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
જેનો વિરોધ ફિલ્મ નિર્દેશક મોહન પ્રસાદ દ્વારા કરવામાં આવ્યો છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
ફિલ્મ નિર્દેશક મોહન પ્રસાદનું કહેવું છે કે હાસ્યથી ભરપૂર જેલુગુ ફિલ્મ ‘ક્રેજીવાલા' આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની રમૂજી નકલ છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
પરંતુ આ ફિલ્મ તેમના પર આધારિત નથી.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
આ ફિલ્મ દેશમાં મતદાન માટે પ્રેરિત કરવાનો એક પ્રયાસ છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
પ્રસાદે કહ્યું કે, હું સ્વિકારું છું કે પ્રચાર સંબંધી પોસ્ટર્સમાં એમ એસ નારાયણનો ગેટઅપ કેજરીવાલ જેવો છે, પરંતુ અમારો ઉદ્દેશ્ય આપ નેતા પર ફિલ્મ બનાવવાનો નથી.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
આ ફિલ્મ થકી અમે લોકોને મત આપવા, પોતાના નેતા પંસદ કરવા અને પોતાનું ભાગ્ય જાતે જ બદલવા માટે પ્રેરિત કરવા પ્રયાસ કરી રહ્યાં છીએ.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
તેમણે કહ્યું કે, અમે માત્ર કેજરીવાલના ગેટ અપનો પ્રયોગ કર્યો છે.
ક્રેઝી કરશે નકલી ક્રેજીવાલા
આ બધુ માત્ર કેટલીક જીજ્ઞાસા પેદા કરવા અને પાર્ટીની કેટલીક સારી વિચારધારા પર જોર આપવા માટે છે.