For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેશ ભટ્ટે જણાવ્યુ કેવો હોવો જોઈએ 'આઝાદ સમાજ', સોશિયલ મીડિયા પર થઈ ગયા ટ્રોલ

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે સાથે ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ પણ સતત લોકોના નિશાના પર છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી ઈન્ડસ્ટ્રીના અમુક લોકો સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. હાલમાં સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ ચાલી રહી છે. વળી, સોશિયલ મીડિયા પર ગ્રુપિઝમ અને નેપોટિઝમ પર લોકો વિરોધ દર્શાવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોએ એ પણ વાત કહી છે કે બૉલિવુડમાં અમુક કેમ્પ છે, જે બહારથી આવનારા ટેલેન્ટનો મોકો નથી આપતા ત્યારબાદથી ઘણા મોટા સ્ટાર્સ સાથે સાથે ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ પણ સતત લોકોના નિશાના પર છે.

મહેશ ભટ્ટે શું કર્યુ ટ્વિટ?

મહેશ ભટ્ટે શું કર્યુ ટ્વિટ?

હવે મહેશ ભટ્ટે આઝાદ અને સારા સમાજની પરિભાષા જણાવીને એક ટ્વિટ કર્યુ છે ત્યારબાદ તે ઘણા ટ્રોલ થઈ રહ્યા છે. મહેશ ભટ્ટે અમેરિકી વકીલ, નેતા અને ડિપ્લેમોટ Adlai Ewing Stevensonનુ એક કોટ ટ્વિટર પર શેર કર્યુ છે. જેમાં લખ્યુ છે, 'આઝાદ સમાજની મારી પરિભાષા એક એવો સમાજ છે, જ્યાં જાણીતા ન હોવુ સુરક્ષિત હોય. આ ટ્વિટ બાદથી લોકો મહેશ ભટ્ટ પર ભડાશ કાઢી રહ્યા છે.'

લોકોએ શું કહ્યુ?

લોકોએ શું કહ્યુ?

આદિત્ય નામના યુઝરે લખ્યુ, 'તમે કઈ વેબસાઈટ પરથી આ કોટને કૉપી કર્યુ છે, શું તમે સમાજનો અર્થ પણ જાણો છો.' પ્રોતષા નામની યુઝરે કહ્યુ, 'મારી આઝાદ સમાજની પરિભાષા એવો સમાજ છે, જ્યાં લોકો રાક્ષક, હત્યારા અને મેન્યુપલેટ કરનારાથી સુરક્ષિત રહે.' મનીષ નામના યુઝરે કહ્યુ, 'મારી આઝાગ સિનેમાની પરિભાષા છે, એક એવી ઈન્ડસ્ટ્રી જેમાં બહારના હોવુ અને કોઈ 'સિનેમાથી જોડાયેલા પિતા'નુ નામ હોવુ સુરક્ષિત વાત હોય.' સુશાંતના ફેન્સે મહેશ ભટ્ટ પ્રત્યે ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો છે. વાસ્તવમાં મહેશ ભટ્ટે સુશાંતના મોત બાદ જે વાત કહી હતી, તે સુશાંતના ફેન્સને બિલકુલ પસંદ ન આવી.

અનહોનીની શંકા વ્યક્ત કરી હતી

અનહોનીની શંકા વ્યક્ત કરી હતી

આ ઉપરાંત એવા સમાચાર પણ આવ્યા હતા કે રિયા ચક્રવર્તીને બૉલિવુડમાં લૉન્ચ કરનાર મહેશ ભટ્ટે તેમને સુશાંત સિંહ રાજપૂતથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ ઉપરાંત મહેશ ભટ્ટે સુશાંત સાથે કંઈક અનહોનીની પણ શંકા વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે એવી પણ ચર્ચા હતી કે રિયા આ વર્ષે સુશાંત સાથે લગ્ન કરવાની હતી. બંને અમુક સમય સુધી સાથે પણ રહ્યા હતા પરંતુ સુશાંતના મોતથી થોડા દિવસ પહેલા રિયા તેનુ ઘર છોડીને જતી રહી હતી.

સુશાંતસિંહ સુસાઈડ કેસઃ સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક પૂછપરછસુશાંતસિંહ સુસાઈડ કેસઃ સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક પૂછપરછ

English summary
Mahesh bhatt trolled after shares definition of good and free society on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X