Mamta Kulkarni : વિવાદોથી ભરેલી છે મહામંડલેશ્વર બનેલી મમતા કુલકર્ણીની લાઈફ, જાણો મોટા વિવાદ
Mamta Kulkarni Controversies : બોલિવૂડની એક જમાનાની સુપર હિટ અભિનેત્રી મમતા કુલકર્ણીએ ફિલ્મી દુનિયા છોડીને સન્યાસ લીધો છે.
જણાવી દઈએ કે, મમતા કુલકર્ણીની લાઈફ વિવાદોનું ઘર રહી છે. અંડરવર્લ્ડથી લઈને ડ્રગ્સ રેકેટ સુધી મમતાનું નામ જોડાઈ ચુક્યુ છે.

મેગેઝિનના કવર માટે ટોપલેસ ફોટોશૂટ
1993માં મમતા કુલકર્ણીએ સ્ટારડસ્ટ મેગેઝિનના કવર પેજ પર ટોપલેસ પોઝ આપીને હંગામો મચાવી દીધો હતો. વિવાદ વધતા ફોટોશૂટ માટે મમતાએ માંફી પણ માંગવી પડી હતી. આ સમયે આ મેગેઝિનની કિંમત 20 રૂપિયા હતી, પરંતુ તે 100 રૂપિયા સુધી વેચાયુ હતું.
અંડરવર્લ્ડ કનેક્શન
1999 માં આવેલી ફિલ્મ ચાઇના ગેટ સાથે જોડાયેલા એક મોટા વિવાદને કારણે મમતા કુલકર્ણીનું નામ અંડરવર્લ્ડ સાથે જોડાયુ હતું. મમતાએ રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં ગીતમાં ખાસ ભૂમિકા ભજવી હતી. સંતોષીએ મમતાને સાઇન કરી પરંતુ કાસ્ટિંગથી તે અસંતુષ્ટ હતા તો મમતાને ફિલ્મથી દુર કરી દીધી.
આ પછી સંતોષીને અંડરવર્લ્ડ ડોન છોટા રાજન તરફથી ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા અને મમતાને ફિલ્મમાં રાખવા માટે તેના પર દબાણ કરવામાં આવ્યુ હતુ.
રાજકુમાર સંતોષી પર કાસ્ટિંગ કાઉચનો આરોપ
ફિલ્મ ચાઇના ગેટની નિષ્ફળતા બાદ મમતા કુલકર્ણીએ દિગ્દર્શક રાજકુમાર સંતોષી પર ગંભીર આરોપો લગાવ્યા. મમતાએ દાવો કર્યો હતો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજકુમારે તેને સમાધાન કરવા કહ્યું. ના પાડી ત્યારે રાજકુમારે બદલો લેવા માટે ફિલ્મમાંથી તેના ઘણા દ્રશ્યો કાઢી નાખ્યા. આ વિવાદને કારણે મમતાના કરિયરને ઘણો ધક્કો લાગ્યો.
છોટા રાજન સાથે સંબંધ
મમતા કુલકર્ણી અને અંડરવર્લ્ડ ડોન છોટા રાજન વચ્ચેના અફેર ખુબ ચર્ચામાં રહ્યું. બંનેએ ક્યારેય પોતાના સંબંધો જાહેર કર્યા નથી પરંતુ છોટા રાજનની ધમકીઓને કારણે મમતાને ફિલ્મો મળવાથી તેમના નજીકના સંબંધોનો અંદાજ લાગ્યો હતો.
છોટા રાજન દેશ છોડીને ભાગી ગયો પછી તેની ગેરહાજરીમાં વિક્કી ગોસ્વામીએ તેનું કામ સંભાળ્યું અને મમતાનું નામ વિક્કી સાથે જોડાયુ. છોટા રાજનના ગયા પછી મમતાને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું.
૨૦૦૦ કરોડના ડ્રગ રેકેટના આરોપ
2016માં મમતા કુલકર્ણી અને તેના કથિત પતિ વિક્કી ગોસ્વામીનું નામ 2 હજાર કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં સામે આવ્યું હતું. આરોપ હતો કે બંને કેન્યામાં ડ્રગ રેકેટ ચલાવી રહ્યા હતા. આ કેસમાં તેનું નામ સામે આવ્યા પછી તેની શોધ શરૂ કરવામાં આવી પરંતુ તે ફરાર થઈ ગયા.
2016 માં થાણેની એક ખાસ કોર્ટે બંનેને ભાગેડુ જાહેર કર્યા હતા. 2017 માં મમતાની મુંબઈમાં મિલકત પણ જપ્ત કરવામાં આવી હતી. તાજેતરમાં મમતા કુલકર્ણીએ સોશિયલ મીડિયા પર ભારત પાછા ફરવાની જાહેરાત કરી હતી. જો કે, તે કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ મહાકુંભ 2025નો ભાગ બનવા માટે દેશમાં પરત ફરી છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
