જો કંગના ફિલ્મ ડાયરેક્ટ કરશે એવું ખબર હોત તો ફિલ્મ નહીં કરતી
કંગના રાનૌતની ફિલ્મ મણિકર્ણિકા અંગે કોઈને કોઈ વિવાદ સામે આવી જ રહ્યો છે. આ ફિલ્મનો હિસ્સો રહેલી મિસ્ટી ચક્રવતી ઘ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા છે તે ખરેખર ચોંકાવી નાખે તેવા છે.
કંગના રાનૌતની ફિલ્મ મણિકર્ણિકા અંગે કોઈને કોઈ વિવાદ સામે આવી જ રહ્યો છે. આ ફિલ્મનો હિસ્સો રહેલી મિસ્ટી ચક્રવતી ઘ્વારા જે ખુલાસા કરવામાં આવ્યા છે તે ખરેખર ચોંકાવી નાખે તેવા છે. તેમને ફિલ્મના કેરેક્ટર વિશે જણાવતા કહ્યું કે કંગનાએ રોલ કાપી નાખ્યા છે. તેમના સીન જે ફિલ્મમાં ઘણા અગત્યના હતા તેમને ફિલ્મથી હટાવી દેવામાં આવ્યા છે. સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને આ બાબતે ખુલાસા કર્યા છે.
તેમને કહ્યું કે જો મને પહેલા જ ખબર પડી હોત કે કંગના આ ફિલ્મને ડાયરેક્ટ કરશે તો તેઓ ફિલ્મનો હિસ્સો ક્યારેય પણ નહીં બનતે. તેમને કહ્યું કે આ ફિલ્મ પહેલા હું પ્રોડ્યૂસર કમલ જૈનને મળી હતી. તેમને મને કહ્યું હતું કે આ એક શાનદાર રોલ છે અને મારુ કેરેક્ટર ફિલ્મમાં ઘણું અગત્યનું છે. હું તેમની વાતોથી સહમત થઇ ગઈ. હું કૃષ ના કામ કરવાના અંદાઝ વિશે પરિચિત હતી અને ઘણા સમયથી તેમની સાથે કામ કરવાની ઈચ્છા પણ હતી.
પરંતુ આવું બધું થશે તેનો અંદાઝો ના હતો. તેની સાથે મિસ્ટીએ બીજા પણ કેટલાક ખુલાસાઓ કર્યા છે.
આ પણ વાંચો: કંગના રનૌતને બીજાનું કામ ચોરીને ઉંઘ કેવી રીતે આવે છેઃ મણિકર્ણિકાના અસલી ડિરેક્ટર કૃષ
મને ખબર ના હતી
મિસ્ટી ખુબ જ વધારે નારાજ જોવા મળી તેને કહ્યું કે તેને ખરેખર અંદાઝો ના હતો કે આવું કંઈક થઇ જશે.
ખબર તો આપી જ શકતી હતી
તેમને કહ્યું કે કંગના એક સારી ડાયરેક્ટર બની શકે છે અને જે પણ થયું તે સારું થયું પરંતુ આ બાબતે તે જાણકારી તો આપી શકતી હતી.
કંગનાએ કહ્યું કે તું મારી બહેન જેવી છે
મિસ્ટીએ જણાવ્યું કે કંગના તેને કહેતી હતી કે તું મારી બહેન જેવી છે અને એક દોસ્ત જેવી પણ છે.
મારા ફાઇટ સીન કાપી નાખવામાં આવ્યા
મિસ્ટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મારી એક્ટિંગ જ નહીં પરંતુ મારા ફાઇટ સીન પણ કાપી નાખવામાં આવ્યા.
મારા રોલ સાથે ન્યાય નથી થયો
તેમને જણાવ્યું કે ઝાંસી કી રાની ફિલ્મનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે.પરંતુ મારા રોલ સાથે ન્યાય નથી થયો.
કંગનાએ ફક્ત ફિલ્મમાં કાતર ફેરવી છે
તેમને આરોપ લગાવ્યો કે કંગનાએ ડાયરેક્ટર તરીકે ફિલ્મમાં ફક્ત કાતર જ ફેરવી છે.