For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલોકનાથને માફ કરવા તૈયાર વીંટા નંદા, પરંતુ પસ્તાવો તો દેખાડે

ખુલ્લો પત્ર લખીને આલોકનાથ પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવનાર લેખક વીંટા નંદા એ કહ્યું કે તેઓ અલોકનાથને માફ કરવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

ખુલ્લો પત્ર લખીને આલોકનાથ પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવનાર લેખક વીંટા નંદા એ કહ્યું કે તેઓ અલોકનાથને માફ કરવા માટે તૈયાર છે. વીંટા નંદા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો આલોકનાથ થોડો પણ પસ્તાવો બતાવે તો, તેઓ માફ કરવા માટે તૈયાર છે. મંગળવારે જ વીંટા નંદાની ફરિયાદ પર આલોકનાથ પર રેપ આરોપમાં એફઆઈઆર નોંધાઈ ચુકી છે. મુંબઈની ઓશિવારા પોલીસે આઇપીસી ધારા 376 (રેપ) હેઠળ એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચો: આલોકનાથ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા અને મને જબરજસ્તી પકડી લીધી: હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર

વીંટા નંદાએ કહ્યું, થોડો તો પસ્તાવો દેખાડો

વીંટા નંદાએ કહ્યું, થોડો તો પસ્તાવો દેખાડો

19 વર્ષના દર્દથી પસાર થયા પછી પણ લેખક વીંટા નંદા અલોકનાથને માફ કરવા માટે તૈયાર છે. વીંટા નંદા કહે છે કે તેઓ બદલો નથી ઈચ્તા, તેઓ સુધાર ઈચ્છે છે, થોડો તો પસ્તાવો દેખાડો, જેથી મને ખબર પડે કે તમે બીજી કોઈ મહિલા સાથે એવું નહીં કરો જેવું મારી સાથે કર્યું છે. વીંટા નંદા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અલોકનાથમાં તેમને હજુ પણ બેશર્મીનો એટીટ્યુડ દેખાઈ રહ્યો છે. જો આવું જ ચાલશે તો ન્યાય માટે અંત સુધી લડાઈ લડશે.

આલોકનાથ વિરુદ્ધ રેપ આરોપમાં એફઆઈઆર

આલોકનાથ વિરુદ્ધ રેપ આરોપમાં એફઆઈઆર

ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર આલોકનાથ વિરુદ્ધ ઓશિવારા પોલીસે રેપ આરોપમાં એફઆઈઆર નોંધી લીધી છે. મુંબઈ પોલીસ સીપી મનોજ શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે લેખક વિટા નંદાની ફરિયાદ પર એક્શન લેતા ઓશિવારા પોલીસે આલોકનાથ પર આઇપીસી ધારા 376 (રેપ) હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. વીંટા નંદા ઘ્વારા જણાવવામાં આવ્યું કે એફઆઈઆર તેને મંગળવારે જ નોંધાવી હતી પરંતુ મીડિયામાં આ વાત બુધવારે આવી.

દારૂ પીધા પછી અલોકનાથનું વ્યક્તિત્વ બિલકુલ બદલાઈ જતું

દારૂ પીધા પછી અલોકનાથનું વ્યક્તિત્વ બિલકુલ બદલાઈ જતું

પરદેશ, કભી ખુશી કભી ગમ અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોમાં આલોકનાથ સાથે કામ કરી ચુકેલી હિમાની શિવપુરીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જો તેમને આવું કર્યું છે તો તે ખુબ જ ખરાબ છે. તમે પોતાની તાકાતના દમ પર કોઈ મહિલાને મજબુર નહીં કરી શકો. આ મહિલાઓ માટે ખુબ જ મુશ્કિલ છે. હિમાની શિવપુરીએ આગળ જણાવ્યું કે આલોકનાથ દિવસમાં શૂટ કરતા સમયે ઠીક રહેતા હતા પરંતુ રાત્રે દારૂ પીધા પછી તેમનામાં બદલાવ આવી જતો હતો.

સંધ્યા મૃદુલ

સંધ્યા મૃદુલ

એટલું જ નહીં પરંતુ સંધ્યા મૃદલ ઘ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આલોકનાથ દારૂના નશામાં તેના રૂમમાં ઘૂસી આવ્યા અને તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. આ સમયે MeToo કેમ્પેઇને ઘણા લોકોની કાળી કરતૂતો ખોલી નાખી છે.

English summary
MeToo: Vinta Nanda Says She Is Ready To Forgive Alok Nath, But At Least Show Some Remorse
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X