સાઉથના ફેમસ એક્ટર મોહનલાલનો મોટો નિર્ણય, AMMAના પ્રમુખ પદેથી આપ્યુ રાજીનામુ, જાણો એવુ શું થયુ
Mohanlal Resigns From AMMA: હેમા કમિટીનો રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હેડલાઈન્સમાં છે. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત કલાકારો અને દિગ્દર્શકો પર યૌન ઉત્પીડનનો આરોપ લાગી ચૂક્યો છે.
મળતી માહિતી મુજબ, પહેલા અભિનેતા સિદ્દીકી અને પછી પ્રખ્યાત મલયાલમ ફિલ્મ નિર્દેશક રંજીતે આ મામલે ફિલ્મ બોડીમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે સમાચાર છે કે સાઉથના પ્રખ્યાત અભિનેતા મોહનલાલે એસોસિયેશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ (AMMA)ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

એવા અહેવાલ છે કે મોહનલાલની સાથે અન્ય ઘણા સભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ સમિતિનું વિસર્જન કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, એક્ટર શમ્મી થિલકને હેમા કમિટીના રિપોર્ટમાં આરોપીઓ વિશે કંઈ ન કહેવા માટે મોહનલાલના મૌન પર નિશાન સાધ્યું હતું. મીડિયા સાથે વાત કરતા શમ્મીએ કહ્યું હતું કે મોહનલાલે આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી અને આ ખોટું છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ટીકા બાદ મોહનલાલે મલયાલમ મૂવી કલાકારોના એસોસિયેશનના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ડાયરેક્ટર રંજીતે કેરળ ચાલચિત્ર એકેડમીના પ્રેસિડેન્ટનું પદ છોડી દીધું હતું. દિગ્દર્શક રણજીત પર બંગાળી અભિનેત્રીએ ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો.
અભિનેતા સિદ્દીકીએ મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક મહિલા અભિનેત્રીએ અભિનેતા પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જે બાદ સિદ્દીકીએ પદ છોડવાનો નિર્ણય લીધો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળ સરકારે હવે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ ઉથલપાથલને લઈને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે અને મહિલા કલાકારો પર થતા અત્યાચારની તપાસ માટે 7 સભ્યોની વિશેષ ટીમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
