ફિલ્મ 'રેડી'માં સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલ મોહિત બઘેલનુ નાની વયે નિધન
મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહેલ બૉલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પોતાના વધુ એક કલાકારને ગુમાવી દીધો છે.
મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહેલ બૉલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પોતાના વધુ એક કલાકારને ગુમાવી દીધો છે. સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરનાર જાણીતા કૉમેડિયન અને બૉલિવુડ એક્ટર મોહિત બઘેલનુ 27 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તે કેન્સરથી પીડિત હતા અને મથુરા સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. મોહિત બઘેલના નિધન બાદથી સોશિયલ મીડિયા પર બૉલિવુડ દિગ્ગજ સહિત તેમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

સલમાન ખાનની ફિલ્મ રેડીમાં કરી ચૂક્યા છે કામ
ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા મોહિત બઘેલ પોતાની નાની ઉંમરમાં જ આકરી મહેનત અને લગનના કારણે બૉલિવુડમાં એક અલગ ઓળખ બનાવી લીધી હતી. ટેલીવિઝન પર પોતાની કૉમેડીથી બધાનુ ધ્યાન આકર્ષિત કરનાર મોહિતે થોડા વર્ષો પહેલા જ બૉલિવુડમાં આવ્યા હતા. તે સલમાન ખાનની ફિલ્મ રેડીમાં પણ જોવા મળી ચૂક્યા છે. આ ફિલ્મમા તેમણે નાના અમર ચૌધરીની દમદાર ભૂમિકા નિભાવી હતી.

લૉકડાઉનમાં ઇલાજ ન મળવાની ચર્ચા
27 વર્ષની ઉંમરે મોહિત બઘેલનુ દુનિયાને અલવિદા કહી દેવુ તે કોઈના પણ માટે ચોંકાવારી વાત છે. તેમના ગયા બાદથી બૉલિવુડ અને તેમના સ્થાનિક નિવાસ બ્રજવાસીઓમાં શોકની લહેર છે. મોહિત બઘેલા મોતથી આખુ શહેર દુઃખી છે. આ દરમિયાન તેમના ઈલાજ વિશે પણ મથુરાના લોકોમાં અલગ અલગ ચર્ચા છે. કહેવાઈ રહ્યુ છે કે કોરોના વાયરસ લૉકડાઉનના કારણે મોહિતનો યોગ્ય ઈલાજ મળી શક્યો નહિ.

હોસ્પિટલવાળાઓએ ભરતી કરવાનો કર્યો ઈનકાર
તમને જણાવી દઈએ કે મોહિતને નાના ઉંમરમાં જ કેન્સર જેવી જાનલેવા બિમારીઓ પોતાની પકડમાં લઈ લીધો હતો. તેનો ઈલાજ નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. થોડા દિવસોથી તે પોતાના મથુરા સ્થિત ઘરે હતો. આજે શનિવારે સવારે લગભગ 10 વાગે મોહિતની તબિયત અચાનક બગડતા તેને નયતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલવાળાઓએ મોહિતને ભરતી કરવાની મનાઈ કરી દીધી.

યોગ્ય સમયે ઈલાજ મળી જતો તો...
પરિવારજોના જણાવ્યા મુજબ મોહિત બઘેલની તબિયત વધુ બગડતા તેનુ મોત થઈ ગયુ. જો યોગ્ય સમયે હોસ્પિટલમાં ઈલાજ મળી ગયો હોત તો કદાચ તે આજે આપણી વચ્ચે હોત. હાસ્ય કલાકાર મોહિતને મથુરામાં ઓળખતા અને તેના દોસ્તમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો સંવેદનાઓ પ્રગટ કરી રહ્યા છે. મોહિતના એક દોસ્તો કહ્યુ કે ઈલાજ ન મળવાના કારણે તેનો જીવ જતો રહ્યો.












Click it and Unblock the Notifications
