આજે પણ જેલથી બહાર નહિ આવી શકે રિયા, કાલે કોર્ટનો ફેસલો આવશે
આજે પણ જેલથી બહાર નહિ આવી શકે રિયા, કાલે કોર્ટનો ફેસલો આવશે
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સામે આવેલ ડ્રગ એન્ગલ બાદ રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની મુશ્કેલીઓ ઘટતી જોવા નથી મળી રહી. સેશન કોર્ટમાં આજે રિયા અને શૌવિકની જામીન અરજી પર સુનાવણી થવાની હતી પરંતુ અદાલતે કાલ સુધી પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. હવે આ મામલે કાલે ફેસલો આવશે. જેનો મતલબ કે રિયા ચક્રવર્તીએ વધુ એક રાત જેલમાં જ વિતાવવી પડશે.
મુંબઈની સ્પેશિયલ કોર્ટના ફેસલા પર દેશભરની નજર હતી. રિયાની સાથે શૌવિકની જામીન અરજી પર કોર્ટે ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. શુક્રવાર સુધી કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો છે. જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી એનસીબીની 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તેના ઉપરાંત શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા સહિત કેટલાય આરોપી પણ એનસીબીની કસ્ટડીમાં છે.
રિયાની પહેલી રાત એનસીબીની સ્પેશિયલ સેલમાં પસાર થઈ હતી જે બાદ તેને ભાયખલા જેલમાં શિફ્ટ કરી દેવામા આવી. શીના બોરા હત્યાકાંડની આરોપી ઈન્દ્રાણી મુખરજી પણ આ જેલમાં જ છે. બંનેની બેરેક પણ બાજુમાં જ છે.

નવું અપડેટ આવ્યું
ઈન્ડિયા ટુડે મુજબ શૌવિકે જણાવ્યું કે સુશાંતને તેણે કેટલાય અવસર પર ડ્રગનો ઈંતેજામ કરી આપ્યો. તે બાસિત અને મેહરોત્રા દ્વારા આ બંદોબસ્ત કરાવતા હતા. માટે રિયા પોતાના ક્રેડિટ કાર્ડથી રૂપિયા ચૂકવતી હતી.

સુશાંત રિયા પાસે આ માંગ કરતો
આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે શૌવિકે જણાવ્યું કે સુશાંતના કહેવા પર રિયાએ તેની પાસેથી ગાંજાની માંગ કરી હતી. સુશાંત દિવસમાં 2-3 વાર ગાંજાનું સેવન કરતો હતો.

તપાસ ચાલુ
સુશાંત સિંહ રાજપૂતના મામલામાં બીજી તરફ સીબીઆઈ તપાસ કરી રહી છે. હાલ સીબીઆઈએ સત્તાવાર નિવેદન આપી આ મામલે જાણકારી શેર નથી કરી.












Click it and Unblock the Notifications
