Pics : બહુ સ્માર્ટ અને સ્ટ્રિક્ટ છે ભૂષણ : દિવ્યા
મુંબઈ, 7 ડિસેમ્બર : નવોદિત ફિલ્મ દિગ્દર્શક દિવ્યા ખોસલા કુમાર કહે છે કે તેમના પતિ ભૂષણ કુમાર બુદ્ધિશાળી અને ચુસ્ત ફિલ્મ નિર્માતા છે. દિવ્યા હાલ પોતાની આવનાર ફિલ્મ યારિયાંના પ્રચારમાં વ્યસ્ત છે.
દિવ્યાએ આઈએએનએસ સાથે વાતચીતમાં જણાવ્યું - ભૂષણ બુદ્ધિશાળી નિર્માતા છે. તેમણે માત્ર એટલા માટે મને ફિલ્મ બનાવવાની મંજૂરી ન આપી કે હું તેમની પત્ની છું. મેં લગ્નના આઠ વર્ષ બનાવી છે. જો બધુ આટલું સરળ હો, તો હું લગ્નના બીજા કે ત્રીજા જ વર્ષે ફિલ્મ બનાવી ચુકી હોત.
ટી સિરીઝના પ્રમુખ હોંકો ભૂષણ કુમારના પત્ની દિવ્યા ખોસલા કુમારની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ યારિયાંમાં રકુલ પ્રીત સિંહ એક નર્ડ એટલે કે મૂર્ખ યુવતીનો રોલ કરી રહ્યાં છે કે જે નંબર્સની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી છે. યારિયાં ફિલ્મમાં રકુલ સાથે હિમાંશુ કોહલી, સેરાહ સિંહ, નકોલ ફરિયા, દેવ શર્મા તથા એવલીન શર્મા પણ લીડ રોલમાં છે.
ચાલો તસવીરો સાથે બતાવીએ વધુમાં શું કહે છે દિવ્યા ખોસલા કુમાર :

હવે ભરોસો કર્યો
દિવ્યાએ જણાવ્યું - જ્યારે મેં કેટલાક સંગીત આલબમના વીડિયોનું દિગ્દર્શન કર્યું, ત્યાર પછી જ મારા પતિએ મારા દૃષ્ટિકોણ ઉપર ભરોસો મૂક્યો.

અભિનેત્રી તરીકે શરુઆત
દિવ્યા ખોસલા કુમારે અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં ફિલ્મ દ્વારા બૉલીવુડમાં અભિનેત્રી તરીકે કૅરિયર શરૂ કર્યુ હતું.

ખૂબ સ્ટ્રિક્ટ છે પતિ
બાળપણથી જ રચનાત્મક દિવ્યાએ જણાવ્યું - જો ભૂષણ આટલા સ્ટ્રિક્ટ ન હોત, તો ઘણી બાબતો નિયંત્રણ બહાર થઈ જાત. અહીં સુધી કે હું પણ પોતાની ટીમ સાથે ખૂબ સ્ટ્રિક્ટલી વરતુ છું.

અભિનયમાંથી બહાર
દિવ્યા કહે છે - હું અભિનયમાંથી બહાર આવી ચુકી છું. જો હવે ક્યારેય અભિનય કરીશ, તો પણ મારી જ ફિલ્મમાં કરીશ. ભલે પછી તે મહેમાન કલાકાર તરીકે હોય.

સામાન્ય બજેટની ફિલ્મ
મેં ખૂબ જ સામાન્ય બજેટમાં યારિયાં ફિલ્મ બનાવી છે. યારિયાં ફિલ્મમાં રકુલ પ્રીત સિંહસાથે હિમાંશુ કોહલી, સેરાહ સિંહ, નકોલ ફરિયા, દેવ શર્મા તથા એવલીન શર્મા પણ લીડ રોલમાં છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
