નવાઝુદ્દીને પત્ની આલિયાને મોકલી લીગલ નોટિસ, પોતાના પર લાગેલા આરોપો પર તોડ્યુ મૌન
નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અંગત જીવનના કારણે છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. જેના પર હવે તેમણે મૌન તોડ્યુ છે.
બૉલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અંગત જીવનના કારણે છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. હાલમાં જ તેમની પત્નીએ તેમને ડિવોર્સની નોટિસ મોકલી હતી. ત્યારબાદ તેમની ભત્રીજીએ પણ તેમના ભાઈ પર યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો. આ બધા કેસો પર નવાઝુદ્દીન સિદ્દીકીએ મૌન રાખ્યુ હતુ પરંતુ હવે તેમણે પોતાની પત્ની આલિયાને લીગલ નોટિસ મોકલી છે. જેમાં તેમણે આલિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે.
નવાઝુદ્દીને આલિયા પર લગાવ્યા ઘણા આરોપ
આ નોટિસમાં નવાઝુદ્દીને આલિયા પર છેતરપિંડીમાં શામેલ થવા, જાણીજોઈને અને સુનિયોજિત રીતે માનહાનિ કરવા અને ચરિત્રની બદનામી કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે તે આલિયાને ડિવોર્સની નોટિસનો જવાબ 15 દિવસની અંદર 19 મેના રોજ આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીનની પત્ની આલિયાએ પોતાના લગ્ન પહેલાના નામ અંજના કિશોર પાંડેનો ફરીથી ઉપયોગ કરવાનુ શરૂ કરી દીધુ છે. આલિયાએ લીગલ નોટિસ મોકલવા પર ટ્વિટ પણ કર્યુ છે.
આલિયા બોલી - મારા જવાબની રાહ જુઓ
પોતાના ટ્વિટમાં આલિયાએ લખ્યુ, 'સારુ થયુ કે તમે છેવટે કંઈ બોલ્યા નવાઝુદ્દીન સિદ્દીકી. હવે મારા જવાબની રાહ જુઓ. હું તમારી સામે કોઈ પણ એક્શન લેવામાં ખચકાઈશ નહિ.' હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ આલિયાએ કહ્યુ હતુ કે નવાઝે તેને મહિનાનુ ભથ્થુ આપવાનુ બંધ કરી દીધુ છે જેના કારણે તે પોતાના બાળકની સ્કૂલ ફી નથી આપી શકતી. આ દાવાને ખોટો ગણાવીને નવાઝુદ્દીને એક ન્યૂઝ વેબસાઈટને બેંક ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ પણ મોકલી. જેમાં તેમણે કહ્યુ કે તે પોતાના બાળક માટે પૈસા મોકલી રહ્યા છે અને લૉકડાઉનમાં ઘરની ઈએમઆઈ પણ ચૂકવી રહ્યા છે.
નવાઝુ્દ્દીને માંગ્યુ લેખિત સ્પષ્ટીકરણ
આ સાથે જ નવાઝુદ્દીને આલિયાને કહ્યુ કે તે તેની સામે માનહાનિુ નિવેદન ના આપે અને હજુ હાલમાં જ જે કંઈ પણ કહ્યુ છે તેનુ લેખિતમાં સ્પષ્ટીકરણ આપે. વળી, આલિયાએ નવાઝુદ્દીનને લીગલ નોટિસ મોકલી હતી તેમાં તેણે ડિવોર્સની સાથે સાથે મેઈન્ટેનન્સ પણ માંગ્યુ છે. સાથે જ આમાં નવાઝુદ્દીન અને તેમના પરિવર પર ગંભીર આરોપ લગાવ્યા છે. નવાઝુદ્દીન અને આલિયાના લગ્નને દસ વર્ષથી વધુ થઈ ગયા છે. આલિયાનુ કહેવુ છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેમના લગ્નમાં પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે.
'કોરોનિલ' પર વધ્યો વિવાદ, જયપુરમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે FIR નોંધાઈ