પાછો આવશે ગઝલન ગીતોનો જમાનો : પંકજ ઉધાસ
મુંબઈ, 20 જુલાઈ : બૉલીવુડ ફિલ્મોમાં જિએં તો જિએં કૈસે..., ના કજરે કી ધાર... અને ચિટ્ઠી આઈ હૈ આઈ હૈ ચિટ્ઠી આઈ હૈ... જેવા ગીતો આપનાર ગઝલ ગાયક પંકજ ઉધાસ માને છે કે ફિલ્મોમાં ગઝલોનો તબક્કો ટુંકમાં જ પાછો ફરશે.

એક ગઝલ કાર્યક્રમ ખજાના માટે શુક્રવારે અહીં યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં 62 વર્ષીય પંકજે જણાવ્યું - મેં ફિલ્મો માટે ગાવાનું બંધ નથી કર્યું, પણ હા લાંબા સમયથી ફિલ્મોમાં મારું ગીત નથી. જો કોઈ સારૂં ગીત હોય, તો હું ગાવા માટે તૈયાર છું.
તેમણે જણાવ્યું - હું આશા સેવુ છું કે સાજન ફિલ્મના જિએં તો જિએં કૈસે... જેવા ગઝલ જેવા ગીતોનો જમાનો ટુંકમાં જ પાછા ફરશે. અને મને લાગે છે કે તે દિવસો હવે દૂર નથી.
પંકજ ઉધાસને 2006માં ગઝલ ગાયકી માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં. તેમણે ફિલ્મો માટે ગીતો ગાવા ઉપરાંત અનેક પર્સનલ આલબમ્સ જારી કર્યાં છે. તેમના કેટલાંક લોકપ્રિય ગીતોમાં ચિટ્ઠી આઈ હૈ..., મૈં દીવાના હૂં... તથા છુપાના ભી નહીં આતા... નો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
