રજનીકાંતની ફિલ્મ ‘કાલા' પર પ્રતિબંધ, સમર્થનમાં પ્રકાશ રાજ
સાઉથની ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રજનીકાંતની ફિલ્મ ‘કાલા' પર પ્રતિબંધ લાદવા પર અભિનેતા પ્રકાશ રાજ ખુલીને સામે આવ્યા છે. પ્રકાશ રાજે ટ્વિટ કરીને પોતાની વાત કહી છે.
સાઉથની ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રજનીકાંતની ફિલ્મ 'કાલા' પર પ્રતિબંધ લાદવા પર અભિનેતા પ્રકાશ રાજ ખુલીને સામે આવ્યા છે. પ્રકાશ રાજે ટ્વિટ કરીને પોતાની વાત કહી છે. તેમનું કહેવું છે કે ફિલ્મ 'કાલા' ને કાવેરી જળ વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી. તો પછી ફિલ્મને આની સાથે કેમ જોડવામાં આવે છે? ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જ કેમ હંમેશા નિશાન બનાવવામાં આવે છે?

પ્રકાશ રાજે પ્રદેશ સરકારને સવાલ કર્યો કે તે 'કાલા' સાથે પણ એવુ જ કરશે જેવુ પદ્માવત સાથે કરવામાં આવ્યુ હતુ. અભિનેતાએ કહ્યુ કે કાયદો વ્યવસ્થાની જવાબદારી સરકારની છે અને રાજ્ય સરકાર લોકોને કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેવા દેશે? તેમણે કહ્યુ કે તમે વિરોધ કરી શકો પરંતુ ફિલ્મની રીલિઝ ના રોકી શકો.
તેમણે કહ્યુ કે તણાવને જોતા વિતરક ફિલ્મની રિલીઝથી પાછળ હટી રહ્યા છે. જો આવો કોઈ વિવાદ થાય તો અસામાજિક તત્વો કાયદો હાથમાં લેવાની કોશિશ કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની છે. તમને જણાવી દઈએ કે રજનીકાંતની ફિલ્મ 'કાલા' 7 જૂને રિલીઝ થવાની છે. રજનીકાંતની ફિલ્મો પ્રત્યે દક્ષિણ ભારતમાં ગજબની દિવાનગી જોવા મળે છે. તેવામાં ફિલ્મની રિલીઝનો કોઈ પણ વિવાદ રાજ્ય સરકારની મુશ્કેલી વધારી શકે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
