‘આર રાજકુમાર’ સમાપ્તિના આરે, શાહિદ-સોનાક્ષી ઉદાસ
મુંબઈ, 23 ઑક્ટોબર : ફિલ્મ દિગ્દર્શક અને નૃત્ય દિગ્દર્શક પ્રભુ દેવાની આગામી ફિલ્મ આર રાજકુમારનું શૂટિંગ ટુંકમાં જ પૂરૂ થવા જઈ રહ્યું છે. ફિલ્મની મુખ્ય જોડી શાહિદ કપૂર તથા સોનાક્ષી સિન્હા કહે છે કે તેઓ ફિલ્મના સેટ ઉપરથી ઘણી સ્મૃતિઓ લઈને પરત ફરશે.
આર રાજકુમાર ફિલ્મના ટ્રેલરમાં શાહિદ કપૂર એક બળવાન એક્શન હીરો તરીકે નજરે પડે છે. જોકે તેમાં તેઓ સોનાક્ષી સિન્હા સાથે ઇશ્ક પણ ફરમાવતા દેખાય છે. શાહિદે ટ્વિટર પર લખ્યું છે - સૌને સુપ્રભાત. આર રાજકુમારના અંતિમ બે દિવસો... શૂટિંગમાં બહુ મજા આવી. બહુ બધી યાદો છે.
બીજી બાજુ સોનાક્ષી સિન્હા ફિલ્મમાં પોતાનું શૂટિંગ થોડાક જ કલાકોમાં પતાવી લેશે. તેમણે ટ્વિટર પર લખ્યું - આ (બુધવાર) આર રાજકુમારના શૂટિંગનો છેલ્લો દિવસ છે... નહીં! મને માઠું લાગી રહ્યું છે. ઓ હો. ફિલ્મમાં સોનૂ સૂદે પણ અભિનય કર્યો છે. ફિલ્મ 6ઠી ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.