For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Watch Tum Tak : ‘રહેમાનનું સંગીત અધ્યાત્મસભર’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 જૂન : સંગીતકાર એ આર રહેમાને ફિલ્મ રાંઝણાના ગીતો દ્વારા પુનઃ એક વાર પોતાનો જાદુ પાથર્યો છે અને ફિલ્મના મુખ્ય નાયિકા સોનમ કપૂરનું કહેવું છે કે રહેમાને ફિલ્મના તુમ તક... ગીતથી તેના સંગીતમાં અધ્યાત્મ ભરી દીધું છે.

sonam-kapoor-dhanush-raanjhnaa

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરના આ 28 વર્ષીય અભિનેત્રી પુત્રી સોનમે ગીત સાથે જોડાયેલ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું - તુમ તક... એક આધ્યાત્મિક ભજન જેવું ગીત લાગે છે. સોનમ કપૂર કહે છે કે અધ્યાત્મ આ ગીતમાં એવી રીતે ભળ્યું છે કે જે આજના સમય અને યુગમાં લાવવાની યોગ્યતા માત્ર રહેમાન ધરાવે છે.

એવું લાગે છે કે જામે રાંઝણા ફિલ્મના કલાકારો રહેમાનના કામના વખાણ કર્યા વગર નથી રહી શકતાં. ફિલ્મના હીરો ધનુષ પણ રહેમાન ઉપર ઓળઘોળ છે. તેમણે ઑસ્કાર વિજેતા સંગીત દિગ્દર્શક એ આર રહેમાનના વખાણ કરતાં જણાવ્યું - તુમ તક... ગીતમાં ખૂબ જ ઘેરાઈ છે. આપ આ ગીત સાથે સંસ્કૃતિને સમજી અને અનુભવી શકો છો.

આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મ રૂમાનિયતથી પરિપૂર્ણ છે. રાયે જણાવ્યું - હકીકતમાં રહેમાને તુમ તક.. ગીતમાં આખી ફિલ્મ નાંખી દીધી છે. ફિલ્મ 21મી જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અભય દેઓલ તથા સ્વરા ભાસ્કર પણ છે.

<center><center><center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/wC9E5zxFwxg" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>

English summary
Composer A.R. Rahman has cast a magic spell yet again with "Raanjhanaa" songs and the film's lead actress Sonam Kapoor says the music maestro has infused spirituality into the film's music with the track "Tum tak".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X