રાહુલ ગાંધીએ શાહરુખ ખાનને લખ્યો હતો પત્ર? આર્યન ખાનની ધરપકડ માટે માંગી હતી માફી!
વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ શાહરુખ ખાન પ્રત્યે પોતાની ચિંતા અને એકતા વ્યક્ત કરી હતી. વાંચો રિપોર્ટ.
કિંગ ખાન શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ઘણા દિવસો સુધી જેલમાં રહ્યો હતો અને એનસીબીએ આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. જો કે હવે આર્યન જામીન પર ઘરે પાછો આવી ચૂક્યો છે પરંતુ આ દરમિયાન શાહરુખ ખાન સાથે ઘણા લોકો જોવા મળી રહ્યા હતા અને મોટા મોટા સ્ટાર આ પ્રસંગે શાહરુખ ખાનને પોતાનુ સમર્થન આપી રહ્યા છે. આ દરમિયાન સ્ટાર્સ જ નહિ પરંતુ ફેન્સ અને શુભચિંતકો પણ સામે આવ્યા હતા.

શાહરુખ ખાન પ્રત્યે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા
હવે ફેન્સ ઉપરાંત વધુ એક નામ સામે આવી રહ્યુ છે જેને આર્યન અને શાહરુખ ખાન માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. સમાચારોની માનીએ તો કથિત રીતે વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ શાહરુખ ખાન પ્રત્યે પોતાની ચિંતા અને એકતા વ્યક્ત કરી. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શાહરુખ અને ગૌરીને એક પત્ર લખીને પોતાની વાત કહી હતી.

રાહુલ ગાંધીનો પત્ર
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે જે દોરમાંથી તે પસાર થઈ રહ્યા છે તેના માટે તેમને માફ કરે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ લખ્યુ હતુ.. કોઈ પણ બાળક સાથે આ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ. રાહુલે એ પણ લખ્યુ - તમે લોકો માટે જે સારુ કામ કર્યુ છે, મે તેને જોયુ છે. મને વિશ્વાસ છે કે તેમના આશીર્વાદ અને સદભાવના તમારી સાથે રહેશે. આ સાથે કામના કરી કે પરિવાર જલ્દી સાથે હોય. રાહુલ ગાંધીનો આ પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી દેશની દરેક ઘટના વિશે પોતાનુ મંતવ્ય બેબાકીથી રજૂ કરે છે.

ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ
આર્યન ખાનને એક ક્રૂઝ પાર્ટી દરમિયાન નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે ધરપકડ કરી હતી. તેમનો આરોપ હતો કે આર્યન ડ્રગ્સ લઈ રહ્યા હતા અને પેડલર્સ સાથે તેને સંબંધ છે. ત્યારબાદ આર્યનની વૉટ્સએપ ચેટથી અનન્યા પાંડેનુ પણ નામ સામે આવ્યુ હતુ અને એનસીબીએ તેને પૂછપરછ માટે બોલાવી હતી. શાહરુખ ખાન આ દરમિયાન ઘર પર રહ્યા અને કોઈ પ્રકારનુ કામ કર્યુ નહિ. તેમનુ પૂરુ ફોકસ આર્યન ખાનને ઘરે પાછો લાવવામાં હતુ. જો કે હાલમાં આર્યન ઘરે ગયા બાદ શાહરુખ ખાન પઠાનની શૂટિંગમાં બિઝી છે અને સતત કામ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
