For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RRR ને ઓસ્કાર માટે ન મોકલતા રાજામૌલીએ ભડાસ કાઢી, જાણો શું કહ્યું?

રાજામૌલી RRR ને સત્તાવાર રીતે ઓસ્કારમાં ન મોકલાયા બાદ નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે તેમને ઈન્ટરવ્યૂમાં ઓસ્કારમાં એન્ટ્રી ન થવા મુદ્દે પુછાયુ હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી RRR ને ઓસ્કારમાં મોકલવા માટે નિર્માતા એસ રાજામૌલી જોર લગાવી રહ્યા હતા પરંતુ ભારત સરકારે છેલ્લો શો મુવીને ઓસ્કાર માટે મોકલી હતી. હવે રાજામૌલીએ આ મુદ્દે તેમની ભડાસ કાઢી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક રાજામૌલીએ ફિલ્મ ફેડરેશન પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, સત્તાવાર રીતે છેલ્લો શોની ભારત તરફથી એન્ટ્રી થઈ છે પરંતુ RRR ના ઓસ્કાર જીતવાના વધુ ચાન્સ છે.

Rajamouli

રાજામૌલી RRR ને સત્તાવાર રીતે ઓસ્કારમાં ન મોકલાયા બાદ નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે તેમને ઈન્ટરવ્યૂમાં ઓસ્કારમાં એન્ટ્રી ન થવા મુદ્દે પુછાયુ હતું. તેમને પુછાયુ કે શું તમે RRR ને એન્ટ્રી ન મળતા નિરાશ છો? આ સવાલના જવાબમાં એસએસ રાજામૌલીએ કહ્યું કે, હા, આ ખૂબ જ નિરાશાજનક હતું પરંતુ અમે શાંતિથી બેસી રહેવાના અને આવું થવા દેવાના નથી.

અહીં રાજામૌલીએ કહ્યું કે, જે થઈ ગયુ તે થઈ ગયુ, અમારે આગળ વધવાનું છે. મને એ વાતની પણ ખુશી છે કે છેલ્લો શો એક ભારતીય ફિલ્મ છે અને તે ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે પરંતુ મને લાગે છે કે RRR ની જીતવાની વધુ તકો છે. તેમણે કહ્યું કે અમેરિકામાં દરેકને આવું જ લાગે છે.

ગીત નાટુ-નાટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા બાદ એસએસ રાજામૌલી સહિત ફિલ્મની સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં રાજામૌલીએ અમેરિકામાં RRRના પ્રચારમાં પુરૂ જોર લગાવી દીધુ છે.

English summary
Rajamouli expresses displeasure over not sending RRR to Oscar, know what he said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X