For Quick Alerts
For Daily Alerts
કરોળિયા અને કૉક્રોચથી પણ બીવે છે રણબીર : દીપિકા
મુંબઈ, 16 મે : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણેનું કહેવું છે કે તેમના મિત્ર તથા આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાનીના સહ-કલાકાર રણબીર કપૂર કરોળિયા તથા કૉક્રોચથી પણ બી જાય છે.
દીપિકા અને રણબીર વચ્ચે બ્રેક-અપ બાદ આ પ્રથમ ફિલ્મ આવી રહી છે. બંને વચ્ચે 2008માં આવેલી બચના ઐ હીસનો ફિલ્મ સાથે પ્રણય શરૂ થયો હતો. જોકે 2009માં બંને જુદા થઈ ગયા હતાં.
દીપિકા પાદુકોણેએ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું - જો આપ એક રૂમમાં હોવ અને ત્યાં કરોળિયો કે કૉક્રોચ દેખાય, તો પાકી વાત છે કે બાકી લોકો તો તેને ભગાવવામાં જોતરાઈ જશે, પરંતુ રણબીર કપૂર પલંગની નીચે લપાઈ જશે. આ વાત હું અનુભવે બોલી રહીછું.
નોંધનીય છે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેની આ બહુચર્ચિત ફિલ્મ યે જવાની હૈ દીવાની આગામી 31મી મેના રોજ રિલીઝ થશે.
Comments
deepika padukone ranbir kapoor yeh jawaani hai deewani yjhd bollywood દીપિકા પાદુકોણે રણબીર કપૂર યે જવાની હૈ દીવાની વાયજેએચડી બૉલીવુડ
English summary
What scares Ranbir Kapoor most? Spiders and cockroaches, reveals his ex-flame and co-star Deepika Padukone asserting that she is saying it from experience.