રાણી ‘ચોપરા’ બની ગયાં છે તો સ્વીકારતાં કેમ નથી?
રાણી મુખર્જીના લગ્નનો ઇંતેજાર તેમના ફૅન્સ આતુરતાપૂર્વક કરી રહ્યાં છે અને એક રાણી છે કે લગ્ન અંગે મૌન સાધી બેઠાં છે. કોઇને પણ આ ખુશીમાં જોડતાં નથી. તાજેતરમાં જ મુંબઈના બાંદ્રા ખાતે આવેલ વૉક ઑફ સ્ટાર્સમાં યશ ચોપરાની મૂર્તિનું અનાવરણ કરાયું. આ પ્રસંગે યશ ચોપરાના પરિજનો અને તેમની સાથે જ બૉલીવુડની અનેક હસ્તીઓ પણ હાજર હતી. સૌએ યશ ચોપરાને શ્રદ્ધાંજલિ અર્પી તથા તેમની યાદો અંગે ઘણી બધી વાતો પણ કરી.
આ જ પ્રસંગે શત્રુઘ્ન સિન્હાએ પણ ખૂબ વાતો કરી અને વાતોવાતોમાં જ તેમણે અચાનક જ ત્યાં હાજર રાણી મુખર્જીને રાણી ચોપરા કહી સંબોધી દીધાં. શત્રુઘ્ન સિન્હા સમગ્ર પરિવારના નામો પોકારી રહ્યાં હતાં અને તે જ દરમિયાન તેમણે રાણી મુખર્જીનું નામ પણ લીધું, પરંતુ રાણી ચોપરા સરનેમ સાથે. તે સાંભણી સૌ કોઈ સ્તબ્ધ રહી ગયું.
શત્રુઘ્નની આ ચૂક પછી તો લોકોએ પ્રત્યાઘાતો આપવાનું શરૂ કરી દીધું. કેટલાંકે તો એમ પણ કહ્યું કે જો રાણીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી જ લીધા હોય, તો તેઓ છુપાવે છે કેમ? ટ્વિટર યૂઝર એનારે ટ્વિટ કર્યું - જો રાણી મુખર્જી રાણી ચોપરા બની જ ગયાં હોય તો તેઓ સ્વીકારી કેમ નથી લેતાં? ઉપરાંત શબીના લાંબાએ પણ લખ્યું છે - શું શત્રુઘ્ન સિન્હાએ રાણી મુખર્જીને રાણી ચોપરા સંબોધી બિલાડીને કોથડામાંથી બહાર કાઢી છે? હવે જો આટલા બધા લોકોના હૃદયમાં આ બાબત આવતી હોય, તો રાણીએ કંઈક તો ખુલાસો કરવો જોઇએ કે આખરે માજરો શો છે?