પદ્માવત માટે રણવીર સિંહને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ
ફિલ્મ પદ્માવત માટે બોલીવૂડ એક્ટર રણવીર સિંહને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. જાણો આ અંગે વધુ અહીં.
બોલીવૂડ સ્ટાર રણવીર સિંહને ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીમાં અદ્ધભૂત એક્ટિંગ કરવા માટે દાદાસાહેબ ફાળકે એક્સીલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે પદ્માવતના રિલીઝ સમયે આ ફિલ્મનો ખૂબ જ વિરોધ થયો હતો. સંજય લીલા ભણસાણીની ફિલ્મ પદ્માવતે તેમ છતાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મમાં રણવીર સિંહને ખિલજી સ્વરૂપે એક ક્રૂર શાસકનો રોલ નિભાવતા જોવા મળ્યો હતો. અને આ માટે તેણે શાનદાર એક્ટિંગ કરી હતી. અને લોકો તેની એક્ટિગ પર આફરીન થઇ ગયા હતા. દાદા સાહેબ ફાળકે એક્સીલેન્સ પુરસ્કાર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમને આ વાતની જાહેરાત કરતા ખૂબ જ ખુશી થાય છે કે ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની યાદગાર ભૂમિકા ભજવવા માટે દાદા સાહેબ ફાલ્કે એક્સીલેન્સ એવોર્ડ 2018 માટે રણવીર બેસ્ટ એક્ટર પસંદ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ રણવીર સિંહનો ત્રીજો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે જે તેમને ફિલ્મ પદ્માવત માટે આપવામાં આવી રહ્યો છે. સાથે જ અનુષ્કા શર્માને પણ સારી સ્ટોરીને રજૂ કરવા માટે દાદા સાહેબ એક્સીલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અનુષ્કાએ તેની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ ફિલ્મ NH 10, ફિલ્લૌરી અને પરી જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જો કે આ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર કંઇ ખાસ ઉકાળી નથી શકી. પણ સમીક્ષકો અને પ્રેક્ષકોના એક વર્ગે ચોક્કસથી તેને અપનાવી અને પસંદ કરી છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
