સોનાક્ષી પાસેથી ટાઇમ મૅનેજમેંટ શીખતાં રણવીર
મુંબઈ, 24 જૂન : થોડીક જ ફિલ્મો દ્વારા દર્શકોની પસંદ બની જનાર દિલ્હીના છોકરા એટલે કે રણવીર સિંહ આજકાલ બહુ જ ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ લુટેરા કે જેના પ્રોમો તેમજ ગીતોએ લોકોને અત્યારથી જ ઘેલા બનાવી દીધાં છે.
ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત રણવીરે જણાવ્યું - આજકાલ તેઓ ખૂબ જ વ્યસ્ત છે. બીજાની છોડો, મારી પાસે તો પોતાના માટે સમય નથી. તેથી હું બહુ હેરાન પણ થઈ જતો હતો, પરંતુ મુશ્કેલી સોનાક્ષીએ દૂર કરી આપી. સોનાક્ષી સિન્હા ખૂબ જ વ્યસ્ત અભિનેત્રી છે. છતાં તેઓ પોતાના અને પરિવાર માટે ભરપૂર સમય કાઢી શકે છે. મેં ટાઇમ મૅનેજમેંટ તેમની પાસેથી જ શીખ્યું છે. તેમની સાથે કામ કરી સારૂલાગ્યું. આગળ પણ તક મળે, તો જરૂર તેમની સાથે કામ કરવા માંગીશ.
નોંધનીય છે કે 5મી જુલાઈએ રિલીઝ થતી લુટેરા ફિલ્મનો દર્શકોને જ નહિં, સોનાક્ષીના પપ્પા શત્રુઘ્ન સિન્હાને પણ ઇંતેજાર છે. આ ખુલાસો પોતે સોનાક્ષીએ કર્યો હતો. લુટેરા એક પ્રેમ અને કશ્મકશની વાર્તા છે કે જેને ખૂબ જ સુંદર રીતે ફિલ્માવી છે દિગ્દર્શક વિક્રમાદિત્યે. પચાસના દાયકાની વાર્તા કહે છે આ ફિલ્મ.