શાહરુખ પણ ઇચ્છે છે પોતાની ફિલ્મોની રીમેક
મુંબઈ, 11 એપ્રિલ : છેલ્લા વીસ વરસથી સતત સિનેમારસિકોના હૃદય ઉપર રાજ કરતાં મહોબ્બતના બાદશાહ શાહરુખ ખાનની હૃદયપૂર્વકની ઇચ્છા છે કે તેમની ફિલ્મોની પણ રીમેક બને. તેમણે ભજવેલા પાત્રોને પણ કોઇક બીજું પ્લે કરે. શાહરુખે આ વાત એક સમારંભમાં જણાવી. કિંગ ખાને જણાવ્યું - જે દિવસે આવું થશે, તે મારા માટે એક મોટી બાબત હશે. હું તે દિવસનો આતુરતા સાથે ઇંતેજાર કરી રહ્યો છું.
શાહરુખ ખાને જ દિલીપ કુમારની માઇલ સ્ટોન ફિલ્મ દેવદાસની રીમેકમાં કામ કર્યું છે અને અમિતાભ બચ્ચની ઐતિહાસિક ફિલ્મ ડૉન બીજી વાર રૂપેરી પડદે જીવ્યાં છે. આ અંગે શાહરુખ ખાને જણાવ્યું કે સંજય લીલા ભાનુશાળીને એમ લાગ્યું કે હું દેવદાસની જેમ મહોબ્બતથી ભરેલી શાયરીઓ વાંચી શકુ છું, તો તેમણે મને લઈ દેવદાસ બનાવી. એવી જ રીતે ફરહાન અખ્તરને લાગ્યું કે મારી અંદર તે દમ છે કે જે ડૉનના બિગ બી પાસે હતો. તેથી તેમણે મને લઈ ડૉન બનાવી. આ બંનેનો હું આભારી છું.
જોકે શાહરુખ ખાને એમ પણ જણાવ્યું - મેં ક્યારેય પોતાની સરખામણી દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચન સાથે નથી કરી અને નથી કોઈ દિવસ પોતાની જાતને તેમની બરાબર સમજી. તેઓ બંને અભિનયના મહારથી છે કે જ્યાં પહોંચવુ કોઈના વશની વાત નથી.
નોંધનીય છે કે શાહરુખ ખાન ટુંકમાં જ દીપિકા પાદુકોણે સાથે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં દેખાશે કે જેના નિર્માતા તેઓ પોતે જ છે, જ્યારે દિગ્દર્શક રોહિત શેટ્ટી છે.