ઋચા ચડ્ઢાએ પાયલ ઘોષ સામે કર્યો 1.1 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ, આ છે સમગ્ર મામલો
ઋચા ચડ્ઢાએ પાયલ ઘોષ સામે 1.1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરી દીધો છે.
મુંબઈઃ એક તરફ જ્યાં પાયલ ઘોષ સરકાર પાસે પોતાના માટે સિક્યોરિટીની માંગ કરી રહી છે ત્યાં ઋચા ચડ્ઢાએ પાયલ ઘોષ સામે 1.1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરી દીધો છે. અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવનારી અભિનેત્રી પાયલ ઘોષે પોતાના નિવેદનમાં ઋચા ચડ્ઢા, હુમા કુરેશી, માહી ગિલનુ નામ પણ લીધુ હતુ. ઋચા ચડ્ઢાએ આના પર અભિનેત્રી સામે કાનૂની કાર્યવાહી કરી છે. જો કે હજુ સુધી અભિનેત્રી તરફથી કોર્ટમાં કોઈ પણ હાજર થયુ નથી.
વાંધાજનક નિવેદનોના કારણે પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી
ઋચાએ પયલ ઉપરાંત કમાલ આર ખઆન અને એક ન્યૂઝ ચેનલ પર પણ માનહાનિનો કેસ કર્યો છે. અભિનેત્રીનો દાવો છે કે આ બધાએ ઘણા વાંધાજનક નિવેદન આપ્યા છે જેનાથી તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. ઋચાએ માંગ કરી છે કે સોશિયલ મીડિયા પર આ કેસ સંબંધિત તેના વિરુદ્ધ નાખવામાં આવેલા વીડિયો અને નિવેદનોને પણ ડિલીટ કરાવવામાં આવે.
7 ઓક્ટોબરે ફરીથી કોર્ટમાં સુનાવણી
આ મામલે સોમવારે બૉમ્બે હાઈકોર્ટના જજ અનિલ મેનન સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઋચા ચડ્ઢાના આરોપો પર અભિનેત્રી તરફથી કોઈ પણ કોર્ટમાં હાજર થયુ નથી. હવે આ કેસમાં 7 ઓક્ટોબરે ફરીથી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે અને બધા દસ્તાવેજ ફરીથી હાજર કરવાના રહેશે.
ઘણી અભિનેત્રીઓ મારી સાથે કમ્ફર્ટેબલ
તમને જણાવી દઈએ કે અનુરાગ કશ્યમ પર યૌન શોષણનો આરોપ લગાવીને ઘોષે કહ્યુ હતુ કે અનુરાગ કશ્યપે મને પોતાના ઘરે બોલાવીને કહ્યુ હતુ કે બૉલિવુડની ઘણી અભિનેત્રીઓ જેવી કે ઋચા ચડ્ઢા, હુમા કુરેશી અમે માહી ગિલ મારી સાથે કમ્ફર્ટેબલ છે. આ કેસમાં પોલિસે અનુરાગ કશ્યપની 8 કલાક પૂછપરછ કરી અને આ દરમિયાન અનુરાગે પોતાના પર લાગેલા બધા આરોપોને ધરમૂળથી ફગાવી દીધા છે.
સલમાન ખાનની રાધેમાં દિશા પટાનીનો બિકીની રોમાન્સ, ફોટો વાયરલ