For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાને સરબજીતના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 મે : બૉલીવુડ અભિનેતા સલમાન ખાને પાકિસ્તાનમાં ભારતીય કૈદી સરબજીત સિંહના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો છે. સલમાને 2012માં સરબજીતનો છોડી મૂકવાની માંગણી કરતાં તેના માટે ઑનલાઇન ઝુંબેશ પણ શરૂ કરી હતી.

salman

સલમાન ખાને ટ્વિટર પર લખ્યું - આશા છે કે સરબજીતનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપાશે. આપણે સૌએ પ્રયત્નો તો કર્યાં, પણ તે પુરતાં નહોતાં. તેમના આત્માને શાંતિ મળે. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ગત વર્ષે સલમાન ખાને પોતાના ફૅન્સ અને પ્રજાને સરબજીતના ઝુટકારા માટે પાકિસ્તાન સરકારને ઑનલાઇન અરજી મોકલવાની ઝુંબેશમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. સરબજીત ઉપર ગત 26મી એપ્રિલના રોજ જેલમાં હુમલો થયો હતો અને ગઈકાલે રાત્રે તેમનું મોત થઈ ગયું.

English summary
Bollywood star Salman Khan, who had launched an online petition asking for Sarabjit Singh's freedom in 2012, Thursday mourned the death of the Indian death row prisoner in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X