For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્તને ફરી મળી પૅરોલ, પરિવાર સાથે ઉજવશે New Year

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેતા સંજય દત્તને વર્ષ 2013માં લગભગ ચાર વર્ષ માટે જેલની સજા થઈ હતી. તાજેતરમાં જ તેમની 14 દિવસની હંગામી રજાની અરજી મંજૂર કરવામાં આવી છે. સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ જેલની સજા આપવામાં આવી હતી અને તેના પગલે તેઓ પુણેની યરવડા જેલમાં સજા કાપી રહ્યા છે. મંગળવારે સંજય દત્તની રજા અંગે જેલ વહિવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો.

anjay-dutt
કાનૂની રીતે દરેક કેદીને એક નિશ્ચિત સમયમાં જેલમાંથી બહાર જઈ પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાની મંજૂરી અપાય છે કે જેથી કેદીને જેલની યાતનાઓમાંથી થોડોક સમય માટે રાહત મળી શકે અને સમાજમાં તે પોતાના સંબંધો અને વ્યવહારો જાળવી શકે. સાથે જ તેના આરોગ્ય પર પડતી ખરાબ અસરને પણ બહેતર કરી શકે. હાલ આ વાતની માહિતી નથી કે સંજય દત્ત ક્યારે અને કયા સમયે જેલમાંથી બહાર આવશે.

નોંધનીય છે કે સંજય દત્ત 1993માં થયેલ મુંબઈ બૉમ્બ ધડાકા અંગે ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ પોતાના ઘરે રાખવાના ગુના અંગે દોષી ઠેરવાયા હતાં. આ અગાઉ પણ તેઓ 18 માસની જેલની સજા કાપી ચુક્યા છે. સંજયે પોતાની અત્યાર સુધીની સજા દરમિયાન લગભગ 118 દિવસો પૅરોલ પર જેલની બહાર પસાર કર્યા છે અને તેમની પૅરોલ અંગે સામાન્યતઃ વિવાદો ઊભા થતાં રહ્યા છે.

સંજય દત્ત તાજેતરમાં જ રિલીઝ થયેલી આમિર ખાન અને અનુષ્કા શર્મા અભિનીત તથા રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે ફિલ્મમાં દેખાયા છે.

English summary
Sanjay Dutt granted 14 days furlough from Yerwada Jail, Pune. Sanjay Dutt has spent 118 days on parole till now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X