સારા અલી ખાનનો ડ્રાઈવર કોરોના પૉઝિટીવ, અભિનેત્રીના પરિવારનો પણ થયો ટેસ્ટ
સમાચાર છે કે અભિનેત્રી સારા અલી ખાનનો ડ્રાઈવર કોરોના પૉઝિટીવ છે.
કોરોનાનુ તાંડવ આખા દેશમાં ચાલુ છે, સામાન્યથી માંડીને ખાસ દરેક જણ આની ચપેટમાં છે. સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચન અત્યારે નાણાવતી હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવી રહ્યા છે. વળી, બીજી તરફ સમાચાર છે કે અભિનેત્રી સારા અલી ખાનનો ડ્રાઈવર કોરોના પૉઝિટીવ છે. સારાએ ખુદ આ વાત સોમવારે મોડી રાતે ઈન્સ્ટાગ્રામ પર જણાવી છે.
સારા અલી ખાનનો ડ્રાઈવર નીકળ્યો કોરોના પૉઝિટીવ
સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી મેસેજમાં લખ્યુ છે કે હું તમને લોકોને જણાવવા માંગુ છુ કે અમારા ડ્રાઈવરનો કોરોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. રિપોર્ટ મળતા જ બીએમસીને સૂચના આપી દેવામાં આવી અને બાદમાં ડ્રાઈવરને ક્વૉરંટાઈન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. મારા પરિવારના લોકો અને ઘરના બધા સ્ટાફના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે પરંતુ અમે બધા લોકો જરૂરી સાવચેતી રાખી રહ્યા છે. બીએમસી તરફથી જારી દિશાનિર્દેશ માટે આભાર.
|
બૉલિવુડ પર કોરોના એટેક
તમને જણાવી દઈએ કે પહેલા અભિનેતા અનુપમ ખેરની મા, ભાઈ, ભાભી અને ભત્રીજી પણ કોરોના સંક્રમિત નીકળ્યા છે. ઉલ્લેખનીય છે કે આખા દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 8,78,254 લોકો આ સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા છે.
કોરોનાના કારણે અત્યાર સુધી 23,174 લોકોના જીવ ગયા
દેશમાં હવે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 3,01,609 છે અને આ બિમારી મ્હાત આપીને સ્વસ્થ થઈ ચૂકેલ લોકોની સંખ્યા પણ 5,53,471 છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 28,701 નવા કેસ સામે આવી ચૂક્યા છે અને 500 મોત રિપોર્ટ કરવામાં આવી છે. કોરોનાથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6497 કેસ સામે આવ્યા છે જ્યારે 193 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 10,482 લોકોના મોત થયા છે.
સચિન પાયલટની ટીમે વીડિયો જારી કરી દાવો કર્યો - અમારી પાસે છે ધારાસભ્યોનુ સમર્થન