કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટરને રાજ્યસભા મોકલો નહીતર..., કાશ્મીરી નેતા સજ્જાદ લોને પીએમ પાસે કરી માંગ
આ દિવસોમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સાથે આ ફિલ્મ કમાણીના રેકોર્ડ પણ તોડી રહી છે. એક તરફ બીજેપી અને મોદી સરકાર આ ફિલ્મનું સમર્થન કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ
આ દિવસોમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સાથે આ ફિલ્મ કમાણીના રેકોર્ડ પણ તોડી રહી છે. એક તરફ બીજેપી અને મોદી સરકાર આ ફિલ્મનું સમર્થન કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ આને મેકર્સ માટે પ્રોપગેન્ડા ગણાવી રહી છે. હવે આ ફિલ્મને લઈને જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોનનું નિવેદન સામે આવ્યું છે.
આ કારણ જણાવ્યુ
સજ્જાદ લોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીને અગાઉથી રાજ્યસભાની બેઠક આપવા વિનંતી કરી હતી. તેણે કહ્યું કે જો પીએમ આવું નહીં કરે તો વિવેક આવી ફિલ્મો બનાવતો રહેશે. એક નવો ટ્રેન્ડ છે કે વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેર જેવા લોકો રાજ્યસભામાં જવા ઉત્સુક છે. તેમને પણ ત્યાં મોકલવા જોઈએ, નહીં તો તેઓ આ દેશને નફરતમાં ડુબાડી દેશે.
મુસ્લિમો પર આ વાત કહી
પૂર્વ મંત્રી લોને કહ્યું કે કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અંગે કોઈ શંકા નથી. કાશ્મીરી મુસ્લિમો પર પંડિતો કરતા 50 ગણા વધુ અત્યાચાર ગુજારવામાં આવ્યા છે. તમે માત્ર એક સમુદાયની પીડાને દસ્તાવેજીકૃત કરી શકતા નથી. આપણે બધા આમાં સાથે છીએ. મેં મારા પોતાના પિતાને ગોળી વાગવાથી ગુમાવ્યા હતા.
ફારૂકનું નિવેદન પણ સામે આવ્યું
તાજેતરમાં જ કાશ્મીરી નેતા ફારૂક અબ્દુલ્લાને પણ ભીંસમાં મુકવામાં આવ્યા હતા. તે અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ફારુકે કહ્યું હતું કે અલબત્ત 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો સાથે જે પણ થયું તે ખૂબ જ ખરાબ હતું પરંતુ હું અહીં એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે તે તમામ બાબતો માટે હું જવાબદાર નથી. તે ખૂબ જ ખરાબ સમય હતો, જેના માટે મારું હૃદય હજી પણ રડે છે. તેમણે કહ્યું કે 1990માં કાશ્મીરમાં જે કંઈ પણ થયું તે એક કાવતરું હતું, સારી રીતે વિચારેલું કાવતરું હતું, જેની વિગતવાર તપાસ થવી જોઈએ.