ફિલ્મ બાયકોટ વિશે શાહરૂખ ખાનનું પહેલુ નિવેદન સામે આવ્યુ, જાણો શું કહ્યું?
શાહરૂખ ખાન અને દીપિકા સ્ટારર પઠાણ વિરોધ વચ્ચે બ્લોક બસ્ટર સાબિત થઈ છે. હવે ફિલ્મ બાયકોટ મુદ્દે શાહરૂખ ખાનનું નિવેદન સામે આવ્યુ છે.
નવી દિલ્હી : દીપિકા પાદુકોણે પહેરેલી ભગવા બિકીનીને લઈને વિવાદે ચડેલી પઠાણ ફિલ્મ આ દિવસોમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા સાથે જ્હોન અબ્રાહમ પણ છે. ફિલ્મને બાયકોટ કરવાની વાતો વચ્ચે પઠાણ રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. વિરોધ વચ્ચે હવે શાહરૂખ ખાને પહેલી વખત જાહેરમાં વાત કરી છે.
શાહરૂખ ખાનની પઠાણ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ફિલ્મ સુપર હિટ થયા બાદ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમે સાથે મળીને મીડિયા સાથે વાત કરી હતી. અહીં શાહરૂખ ખાને બાયકોટને લઈને પોતાના વિચારો રાખ્યા હતા.
આ મુદ્દે પોતાનો પક્ષ રાખતા શાહરૂખ ખાને કહ્યું કે, ફિલ્મ બનાવવા પાછળ અમારો માત્ર એક જ ઉદ્દેશ્ય મનોરંજન હોય છે. અમે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા માંગતા નથી. અમે ખુશીઓ ફેલાવવા માટે ફિલ્મો બનાવીએ છીએ. આપણે પણ ભૂલો કરીએ છીએ, પરંતુ અમારો હેતુ માત્ર ખુશી ફેલાવવાનો છે. શાહરૂખ ખાનના જવાબથી ફેન્સ પર પોઝિટીવ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવેલી પઠાણ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 271 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. શાહરૂખ ખાનની આ ફિલ્મે ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે.