આર રાજકુમારની સફળતાથી ખુશ સોનાક્ષીએ દર્શકોને કહ્યું થેંક્યૂં
શુક્રવારે પ્રભુદેવા નિર્દેશિત મસાલા ટાઇપ ફિલ્મ 'આર...રાજકુમારે' પહેલાં જ દિવસે 9 કરોડની કમાણી કરી છે. જો કે આ દર્શાવે છે કે લોકોને આ ફિલ્મમાં મજા આવી રહી છે. ડાયલોગ અને બેજોડ જોડીની આ ફિલ્મને લોકો એક્શન અને કોમેડી માટે પસંદ કરી રહ્યાં છે.
ફિલ્મની સફળતા પર અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પોતાની નવી ફિલ્મ 'આર...રાજકુમાર'ની સરાહના માટે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે તે ખુશીથી નાચી ઉઠી છે. સોનાક્ષી સિન્હાએ ટ્વિટર પર લખ્યું 'તમારો પ્રેમ અને સરહના મેળવીને અમે ખુશીથી નાચી ઉઠ્યા છીએ. આટલો બધો પ્રેમ આપવા બદલ તમારા બધાનો આભાર'
સોનાક્ષી સિન્હાએ પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'આર...રાજકુમાર'માં અભિનેતા શાહિદ કપૂરની સાથે કામ કર્યું છે. ફિલ્મ શુક્રવારે રિલિઝ થઇ છે. સોનાક્ષી સિન્હાએ મુંબઇના ચંદન સિનેમામાં શુક્રવારે ફિલ્મનો પ્રથમ ભાગ જોયો. તેમને ટ્વિટર પર લખ્યું 'ચંદનમાં 'આર...રાજકુમાર'નો પ્રથમ ભાગ જોયો.તાળીઓ, ટિપ્પણીઓ, સીટીઓ તેના માટે અમે જીત્યાં છીએ. આ દર્શકોની ફિલ્મ સમીક્ષા છે બૉસ.'
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ આર રાજકુમારમાં શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હાની જોડી છે. ફિલ્મ મસાલા ટાઇપ છે જેને યુવાવર્ગ પસંદ કરે છે, એટલા માટે એવું વિચારવામાં આવે છે કે શાહિદની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ પણ સારું પ્રદર્શન કરશે.