સૂરજે ગુનો કબૂલ્યો, ગર્ભપાતનો ઇનકાર કરતાં જિયા સાથે કરી હતી મારઝૂડ

મુંબઈ, 12 જૂન : જિયા ખાનની સુસાઇડ નોટના આધારે ધપકપડ કરાયેલા સૂરજ પંચોલીએ સ્વીકાર કર્યું છે કે તે ગર્ભપાતનો ઇનકાર કરવાના કારણે જિયા ખાન સાથે મારઝૂડ કરતો હતો. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તે તેની (જિયાની) હરકતોથી ત્રાસી અનેક વાર તેની સાથે મારઝૂડ કરતો હતો.

jiah-khan

નોંધનીય છે કે જિયા ખાને પોતાના પત્રમાં સૂરજ સામે મારઝૂડના આરોપ લગાવ્યા હતાં. પોલીસ હજુ જિયા ખાનની મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. દરમિયાન પોલીસે જિયા ખાનના પાંચ પ્રેમ પત્રો પણ જબ્ત કર્યાં છે કે જેમાંથી ત્રણ સૂરજના ઘરમાંથી અને જિયા ખાનના ઘરમાંથી મળી આવ્યા છે. સૂરજ સામે જિયા ખાનના માતા રાબિયા ખાને પણ આરોપ લગાવ્યા હતાં કે જિયાના ચહેરા ઉપર કેટલાંક ઈજાના નિશાન તેમણે જોયા હતાં અને તેઓ સૂરજને જ જિયા ખાનના મોત માટે જવાબદાર ગણે છે. રાબિયાએ જણાવ્યું - મેં જિયાનું મોબાઇલ જોયું કે જેમાં સૂરજના અનેક ધમકીભર્યા એસએમએસ હતાં.

સૂરજ પંચોલી હાલ આવતીકાલ સુધી પોલીસ રિમાંડ ઉપર છે. ગઈકાલે કરાયેલી પૂછપરછમાં સૂરજે ગુનો કબુલ્યો હતો. આ અંગે સૂરજના વકીલે જણાવ્યું કે જો રાબિયા જાણતા હતાં કે સૂરજ તેમની દીકરીને મારતો હતો, તો તેઓ અત્યાર સુધી ચુપ કેમ રહ્યાં. સૂરજના માતા ઝરીના વહાહે પુત્ર સૂરજનો બચાવ કરતાં જણાવ્યું કે સૂરજે જિયાને આત્મહત્યા માટે પ્રેર્યો નથી. તે નિર્દોષ છે. ઝરીના રાબિયાને મળવા તેમના ઘરે ગયા હતાં.

નોંધનીય છે કે જિયા ખાન આત્મહત્યા કેસ સમગ્ર બૉલીવુડ માટે ચર્ચાનો વિષય બની ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X