સૂરજે ગુનો કબૂલ્યો, ગર્ભપાતનો ઇનકાર કરતાં જિયા સાથે કરી હતી મારઝૂડ
મુંબઈ, 12 જૂન : જિયા ખાનની સુસાઇડ નોટના આધારે ધપકપડ કરાયેલા સૂરજ પંચોલીએ સ્વીકાર કર્યું છે કે તે ગર્ભપાતનો ઇનકાર કરવાના કારણે જિયા ખાન સાથે મારઝૂડ કરતો હતો. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તે તેની (જિયાની) હરકતોથી ત્રાસી અનેક વાર તેની સાથે મારઝૂડ કરતો હતો.

નોંધનીય છે કે જિયા ખાને પોતાના પત્રમાં સૂરજ સામે મારઝૂડના આરોપ લગાવ્યા હતાં. પોલીસ હજુ જિયા ખાનની મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. દરમિયાન પોલીસે જિયા ખાનના પાંચ પ્રેમ પત્રો પણ જબ્ત કર્યાં છે કે જેમાંથી ત્રણ સૂરજના ઘરમાંથી અને જિયા ખાનના ઘરમાંથી મળી આવ્યા છે. સૂરજ સામે જિયા ખાનના માતા રાબિયા ખાને પણ આરોપ લગાવ્યા હતાં કે જિયાના ચહેરા ઉપર કેટલાંક ઈજાના નિશાન તેમણે જોયા હતાં અને તેઓ સૂરજને જ જિયા ખાનના મોત માટે જવાબદાર ગણે છે. રાબિયાએ જણાવ્યું - મેં જિયાનું મોબાઇલ જોયું કે જેમાં સૂરજના અનેક ધમકીભર્યા એસએમએસ હતાં.
સૂરજ પંચોલી હાલ આવતીકાલ સુધી પોલીસ રિમાંડ ઉપર છે. ગઈકાલે કરાયેલી પૂછપરછમાં સૂરજે ગુનો કબુલ્યો હતો. આ અંગે સૂરજના વકીલે જણાવ્યું કે જો રાબિયા જાણતા હતાં કે સૂરજ તેમની દીકરીને મારતો હતો, તો તેઓ અત્યાર સુધી ચુપ કેમ રહ્યાં. સૂરજના માતા ઝરીના વહાહે પુત્ર સૂરજનો બચાવ કરતાં જણાવ્યું કે સૂરજે જિયાને આત્મહત્યા માટે પ્રેર્યો નથી. તે નિર્દોષ છે. ઝરીના રાબિયાને મળવા તેમના ઘરે ગયા હતાં.
નોંધનીય છે કે જિયા ખાન આત્મહત્યા કેસ સમગ્ર બૉલીવુડ માટે ચર્ચાનો વિષય બની ગયો છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
