જેલમાં બંધ રિયા ચક્રવર્તીની જામીન અરજીને લઈ તેમના વકીલનું મોટું નિવેદન
જેલમાં બંધ રિયા ચક્રવર્તીની જામીન અરજીને લઈ તેમના વકીલનું મોટું નિવેદન
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. આ મામલે રિયા ચક્રવર્તી અને શૌવિકની અરજીને સેશન કોર્ટે ફગાવી દીધી છે. હાલ એક્ટ્રેસે જેલમાં જ રહેવું પડી રહ્યું છે. જો કે આ મામલે સતત કહેવાઈ રહ્યું હતું કે સોમવારે રિયાના વકીલ સતીશ માનેશિંદે દ્વારા નવી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે. પરંતુ આ મામલે સતીશ માનેશિંદેનું મોટું નિવેદન સામે આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રિયાના વકીલે કહ્યું કે અમને આદેશની કોપી મળી જાય પચી આગળ શું કરવું તે નિર્ણય લેશું. અમને કોઈ ઉતાવળ નથી. જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી એનસીબીની 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. હાલ એક્ટ્રેસ ભાયકુલા જેલમાં બંધ છે. જ્યારે રિયાનો ભાઈ શૌવિક અને અન્ય આરોપી પણ એનસીબીની ન્યાયિક કસ્ટડીમાં છે. આ તમામ આરોપીઓની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પૂછપરછ કરી ડ્રગ્સ એન્ગલનો પતો લગાવી રહી છે.
ડ્રગ પેડલરની ધરપકડ
હાલમાં જ એનસીબીએ સતત કેટલાય દરોડા પાડ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાલમાં જ શૌવિકના મિત્ર સૂર્યદીપ મલ્હોત્રાના ઘરે દરોડા પાડવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યદીપનું રિયાથી કનેક્શન મળી શકે છે. જો કે આને લઈ કોઈ ઑફિશિયલ જાણકારી મળી નથી.
ટ્વિંકલ ખન્નાનો સાથ મળ્યો
ટ્વિંકલ ખન્નાએ હાલમાં જ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની કોલમમાં રિયા ચક્રવર્તીને લઈ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે રિયાનું સમર્થન કર્યું અને કહ્યું કે એક યુવા છોકરીને ભેદી નાખી. તેની જિંદગી સૂકવી નાખી અને રિયાને લઈ ફેક્ટ્સ વિનાની નન્યૂઝ પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો.
રિયાએ કેટલાય મોટા નામ લીધા
મીડિયા રિપોર્ટ્સમાં સતત રિયા દ્વારા બૉલીવુડના મોટા નામ લેવામાં આવ્યાં હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે બૉલીવુડના એવા મોટા નામ લીધા જે સૌને ચકિત કરી દેશે.
રિયાનું નિવેદન
ઈન્ટર્વ્યૂ બાદ નિવેદનમાં પણ રિયાએ આ વાતને રિપિટ કરી. રિયાની ધરપકડ પર રિયાના વકીલે પણ કહ્યું હતું કે એક ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની રિયાને સજા મળી રહી છે.
ચંદીગઢ પહોંચતા જ કંગના બોલી, જાન બચી તો લાખો પાયે, શિવસેનાને ફરીથી કહી સોનિયા સેના