સુચિત્રાની હાલતમાં સામાન્ય સુધારો, મમતાએ મુલાકાત લીધી
કોલકાતા, 6 જાન્યુઆરી : વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી સુચિત્રા સેનની હાલતમાં અગાઉ કરતા સામાન્ય સુધારો થયો છે, પણ હજી તેઓ ખતરામાંથી બહાર નથી. આ માહિતી સોમવારે હૉસ્પિટલ તરફતી એક નિવેદનમાં આપવામાં આવી.

તબીબોના જણાવ્યા મુજબ - સુચિત્રા સેન ઉપર રવિવારે નૉન ઇનવૅસિવ વેંટીલેશનની આંશિક અસર થતી હતી. તેઓ સ્થિર હતાં. જોકે હજી તેઓ ખતરા હેઠળ જ છે. 83 વર્ષીય સુચિત્રા સેન 23મી ડિસેમ્બરથી ફેફસાના ઇન્ફેક્શનના કારણે સારવાર હેઠળ છે. તેમને 28મી ડિસેમ્બરની રાત્રે હાલત બગડતા સીસીયૂમાં શિફ્ટ કરાયા હતાં.
સુચિત્રા સેનને દીપ જ્વલે જાઇ તથા ઉત્તર ફાલ્ગુની જેવી બંગાળી ફિલ્મોમાં તેમના અભિનય માટે ઓળખવામાં આવે છે. તેઓ હિન્દી ફિલ્મો આંધી, દેવદાસ, બંબઈ કા બાબૂ તથા મમતામાં પણ કામ કરી ચુક્યાં છે. તેમણે 1963માં મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં સાત પાકે બાંધા ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું પુરસ્કાર જીત્યુહતું. સુચિત્રા સેન અભિનેત્રી મુનમુન સેનના માતા છે. સુચિત્રાએ 1978માં અભિનયમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેઓ બહુ ઓછા લોકોને મળે છે કે જેમાં તેમના પુત્રી મુનમુન તથા દોહિત્રીઓ રાયમા તેમજ રિયા સેનનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
