For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કંઈક તો હશે કે વીસ વરસથી સહન કરે છે લોકો મને’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 માર્ચ : સામાન્ય ચહેરો ધરાવતા અજય દેવગણે જ્યારે બૉલીવુડમાં પગલું મૂક્યું, ત્યારે કોઇએ વિચાર્યુ પણ નહીં હોય કે તેઓ એક દિવસ સુપર-ડુપર સ્ટાર બનશે. એક્શન, રોમાંટિક અને કૉમેડી ફિલ્મોની સાથે-સાથે ગંભીર રોલ કરી અજય દેવગણે પુરવાર કરી આપ્યું કે અભિનય તેમના લોહીમાં છે. ફૂલ ઔર કાંટે ફિલ્મથી લઈ સન ઑફ સરદાર સુધીની સફરમાં ભલે વીસ વરસ થઈ ગયા હોય, પરંતુ આજે પણ અજય દેવગણના અભિનયમાં નવાપુણું છે. એટલે તો લોકો તેમને સરદાર પણ કહે છે અને સિંઘમ પણ.

ajaydevgan

પોતાની આ સફરને અજય દેવગણ પણ સફલ માને છે અને એક મોટી સિદ્ધિ કહી ખુશ પણ થાય છે. અજય દેવગણે જણાવ્યું કે આખરે કોઈ તો વાત હશે જ. એટલે જ તો છેલ્લા વીસ વરસથી અહીં ટકેલો છું અને લોકો સહન કરી રહ્યાં છે મને.

અજય દેવગણની ઝોળીમાં બે બેસ્ટ એક્ટર ઍવૉર્ડ પણ છે કે જે તેમને જખ્મ અને લીજેંડ ઑફ ભગત સિંહ ફિલ્મો માટે મળ્યા હતાં. હાલ અજય દેવગણ ભોપાલ ખાતે સત્યાગ્રહના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રકાશ ઝા આ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થવાની છે તો બીજી બાજુ અજય દેવગણ હિમ્મતવાલા ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે.

English summary
Surviving in Bollywood for two decades big achievement for me and my Family said Ajay Devgan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X