દિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય
દિશા સાલિયાનની માએ પોતાની દીકરીના મોત વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે.
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પર ઘેરાયેલા રહસ્ય વચ્ચે હવે તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાના કેસ મામલે પણ વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. વાસ્તવમાં દિશાની આત્મહત્યા કેસને સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. દિશાએ ગઈ 8 જૂને આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ 14 જૂને સુશાંતનુ મોત થયુ. માનવામાં આવી રહ્યુ હતુ કે બિહાર પોલિસ સુશાંતના મોત સાથે સાથે દિશાની આત્મહત્યા કેસની પણ તપાસ કરી શકે છે. હવે દિશા સાલિયાનની માએ પોતાની દીકરીના મોત વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે.
'આ એક દૂર્ઘટના પણ હોઈ શકે છે...'
ટાઈમ્સ નાઉના સમાચાર અનુસાર દિશા સાલિયાનની માએ જણાવ્યુ, 'અમે નથી જાણતા કે શું અમારી દીકરીએ આત્મહત્યા કરી છે કે નહિ. આ એક દૂર્ઘટના પણ હોઈ શકે છે...બની શકે કે તે ત્યાં બેઠી હોય, એવુ પણ બની શકે છે. અમને કોઈના પર શંકા નથી. તેની પાસે કામની કમી નહોતી, બહુ કામ હતુ એની પાસે...બીજા કરતા ઘણુ વધુ કામ હતુ, અમને ખબર નથી કેટલુ.' ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં દિશા સાલિયનના મોતને એક મહત્વની કડી તરીકે જોવામાં આવી રહ્યુ છે.
શું દિશા કેસની તપાસથી ખુલશે સુશાંતની મોતુનુ રહસ્ય
આ પહેલા બૉલિવુડ અભિનેત્રી સિમી ગરેવાલે પણ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે જો દિશા સાલિયાનના મોતની તપાસ કરવામાં આવે તો સુશાંત સિંહ રાજપૂતના મોતના રહસ્ય પરથી પડદો ઉઠી જશે. સિમી ગરેવાલે ટ્વિટ કરીન લખ્યુ, 'દિશા સાલિયાનના મોત કેસની તપાસ થઈ જોઈએ, આની અનદેખી કેમ કરવામાં આવી રહી છે. દિશા કેસની તપાસથી સુશાંત સિંહ રાજપૂતના મોત પાછળ જે ષડયંત્ર છે, તેનુ સત્ય સામે આવી જશે. સુશાંત કેસની તપાસ સીબીઆઈને જ સોપવી જોઈએ. અમે સૌ સત્ય ઈચ્છીએ છીએ. અમે ચૂપ બેસાવાના નથી.'
અકસ્માતે મોત રિપોર્ટમાં નોંધાયો છે દિશાનો કેસ
વળી, મુંબઈ પોલિસે આ કેસમાં જણાવ્યુ કે દિશાનો કેસ મલવાની પોલિસ સ્ટેશન પોલિસ સ્ટેશન અંતર્ગત એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટમાં નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. પોલિસે જણાવ્યુ કે દિશાની મોત વિશે સોશિયલ મીડિયા, છાપા અને ટીવી ચેનલો પર ઘણા પ્રકારના સમાચારો આવી રહ્યા છે. અમે લોકો આ કેસમાં માહિતી ભેગી કરી રહ્યા છે અને આ સમાચારોની સત્યતાની પણ તપાસ કરી રહ્યા છે. પોલિસે આ કેસમાં લોકોને અપીલ કરી છે કે જો તેમની પાસે દિશા વિશે કોઈ માહિતી હોય તો તે પોલિસને જણાવે.
'મારી દીકરીના મોતને સુશાંત કેસ સાથે કોઈ સંબંધ નથી'
તમને જણાવી દઈએ કે પહેલા દિશા સાલિયાનની માએ ઝી ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ, 'મારી દીકરીના મોતને સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ સાથે કોઈ સંબંધ નથી. દિશાએ બહુ ઓછા સમય માટે જ સુશાંત સાથે કામ કર્યુ હતુ. હું મારી દીકરીના મોત કેસમાં કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છુ પરંતુ ફરીથી એ દુઃખનો અનુભવ નથી કરવા માંગતી. મારી દીકરી એવી નહોતી જેવુ આજકાલ તેના વિષે ન્યૂઝ ચેનલો પર સાંભળવા મળી રહ્યુ છે.'
'તે એક વાર કોઈની સાથે સુશાંતના ઘરે ગઈ હતી'
દિશાની માએ કહ્યુ, 'સુશાંતના મોત સાથે તેને કોઈ સંબંધ હોઈ ન શકે, તેણે ક્યારેય એનુ નામ પણ નથી લીધુ. અમને ખબર નહોતી કે તે સુશાંતની મેનેજર હતી. આ વાત તો અમને પછીથી ખબર પડી. માત્ર એક વાર તેણે અમને જણાવ્યુ હતુ કે તે કોઈની સાથે સુશાંતના ઘરે ગઈ હતી. માત્ર એક વાર તેને મળવાથી બંને કેસને જોડીને જોવામાં આવી રહ્યા છે.'
'ઐશ્વર્યાની ત્રણ ફિલ્મો માટે દિશાએ કામ કર્યુ'
પોતાની દીકરી વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યુ, 'આ પહેલા દિશાએ બે વર્ષ સુધી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કામ કર્યુ. ઐશ્વર્યાની ત્રણ ફિલ્મો - જઝ્બા,એ દિલ હે મુશ્કિલ અને સરબજીત સમયે દિશાએ તેની સાથે કામ કર્યુ. દિશા એ વખતે થોડી પરેશાન હતી, જ્યારે તેને રણબીર કપૂરના લગ્ન માટે કામ કરવા માટે કહેવામાં આવ્યુ પરંતુ બાદમાં તેને આ ડીલમાંથી હટાવી દેવામાં આવી.'
'દિશાને કોઈ પ્રકારનુ ડિપ્રેશન નહોતુ'
દિશાની માએ જણાવ્યુ, 'તે ઘરમાં જ હતી પરંતુ 26 જૂને પોતાનો જન્મદિવસ ન મનાવી શકી. તે હંમેશા કામમાં લાગેલી રહેતી. લૉકડાઉન દરમિયાન કામ માટે તે થોડી ચિંતામાં હતી પરંતુ મને નથી લાગતુ કે તે કોઈ પ્રકારના ડિપ્રેશનમાં છે. જિંદગીની દરેક પળને ખુલીને જીવતી હતી અને તેને ટ્રાવેલિંગ કરવાનુ ખૂબ ગમતુ. અમને વિશ્વાસ નથી આવતો કે આત્મહત્યા કરી શકે છે. દિશા એક બહાદૂર છોકરી હતી. અમે તો એના લગ્ન માટે વિચારી રહ્યા હતા પરંતુ ખબર નહિ અચાનકથી તેને શું થયુ.'
'તેના દોસ્તો પર હું શંકા નથી કરી શકતી'
દિશા સાથે પોતાની છેલ્લી વાતચીતનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યુ, 'એણે મને કહ્યુ કે તેના અમુક દોસ્તો આવ્યા છે અને તે એમના માટે જમવાનુ બનાવી રહી છે. હું તેના દોસ્તો પર શંકા નથી કરી શકતી. એ લોકો તો સ્કૂલના દિવસોથી તેની સાથે હતા. આખા લૉકડાઉન દરમિયાન તે ઘરે જ હતી. બસ એક દિવસ એ પોતાના ફિયાન્સના શોના શૂટિંગ માટે ગઈ હતી. એ વખતે દિશા ઘણી ખુશ હતી અને સ્હેજ પણ ચિંતામાં ન લાગી.'
'દિશા મારી દીકરી જ નહિ પરંતુ મારુ ભવિષ્ય હતી'
દિશાની માએ કોઈ પ્રકારની ધમકી મળી રહી હોવાનો ઈનકાર કર્યો. તેમણે જણાવ્યુ, 'મને કોઈ વાતનો કોઈ ડર નથી. હું જાણુ છુ કે મારી દીકરી હવે પાછી નહિ આવે. મને પરવા નથી કે મારી સાથે શું થાય છે. મારા જીવનનો હવે કોઈ હેતુ નથી. દિશા મારી દીકરી જ નહિ પરંતુ મારુ ભવિષ્ય હતી અને હવે જ્યારે તે આ દુનિયામાં નથીતો મને એની કોઈ ચિંતા પણ નથી. હવે અમારા જીવનમાં આનાથી વધુ શું થઈ શકે છે.'
મુંબઈમાં રેડ એલર્ટ, આવતા 3 કલાકમાં ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનની સંભાવના