ડ્રગ્ઝના બંધાણી હતા સુશાંત સિંહ રાજપૂત, શ્રુતિ મોદીએ CBI સામે ખોલ્યા ચોંકાવનારા રાઝ
સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીએ હાલમાં જ સીબીઆઈ સામે અમુક મોટા ખુલાસા કર્યા છે અને છે અને તે ઘણા ચોંકાવનારા છે.
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈ દ્વારા થઈ રહી છે અને આ કેસમાં નવી નવી વાતો સામે આવી રહી છે અને ખુલાસા થઈ રહ્યા છે. જ્યારથી આ કેસની શરૂઆત થઈ છે ઘણા પ્રકારના એંગલ્સ આમાં સામે આવ્યા છે અને અત્યારે સૌથી વધુ ચર્ચા ડ્રગ એંગલની ચાલી રહી છે જેના માટે પૂછપરછ ચાલી રહી છે. એવામાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરનાર ઘણા લોકોના નામ આ કેસમાં સામે આવી રહ્યા છે જેમાંથી એક શ્રુતિ મોદી પણ છે. શ્રુતિએ હાલમાં જ સીબીઆઈ સામે અમુક મોટા ખુલાસા કર્યા છે અને તેણે એ પણ જણાવ્યુ કે સુશાંત ડ્રગ્ઝનો બંધાણી હતો. અભિનેતાની મેનેજર રહેલી શ્રુતિ મોદીનો દાવો છે કે સુશાંતના ઘરે ડ્રગ્ઝનુ ઘણુ ચલણ હતુ. ટાઈમ્સ નાઉના એક સમાચાર મુજબ સીબીઆઈ સાથે વાત કરીને શ્રુતિએ એ વાત બુધવારે કબૂલ કરી હતી. શ્રુતિ મોદીએ આ બધાથી ખુદને અલગ જણાવી અને કહ્યુ કે...
બળજબરીથી આનો હિસ્સો બનવા માટે કહેવામાં આવતુ
રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિકનુ ડ્રગ્ઝ મામલે ઈન્વૉલ્વમેન્ટ હતુ અને તેમનો સ્ટાફ પણ આમાં શામેલ હતો. તેમ શ્રુતિ મોદીએ નિવેદનમાં જણાવ્યુ છે. શ્રુતિ મોદીએ આગળ જણાવ્યુ કે ડ્રગ્ઝમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક અને તેના સ્ટાફને પણ બળજબરીથી આનો હિસ્સો બનવા માટે કહેવામાં આવતુ હતુ.
સુશાંતે બેંક ડિટેલ્સ કઢાવવા માટે કહ્યુ હતુ
સાથે જ એ પણ ખુલાસો થયો છે કે સુશાંત સિંહ રાજપૂતે શ્રુતિ મોદીને એ પણ કહ્યુ હતુ તે બેંક ડિટેલ્સ કઢાવે અને માલુમ કરે કે રિયા ચક્રવર્તીએ કેટલો ખર્ચ કર્યો છે. માર્ચ 2020માં તેમણે આ વાત કહી હતી. જો કે શ્રુતિ મોદીએ રિયાને આ અંગેની માહિતી આપી દીધી હતી અને તે ઘરે આવી અને વાતચીતથી બધુ ઠીક થઈ ગયુ હતુ.
સીબીઆઈ સાથે વાતચીત
સીબીઆઈ સાથે થયેલી શ્રુતિ મોદીની વાતચીત ઘણી ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો આ ખુલાસા બાદ ઘણા ચોંકી ગયા છે. સુશાંત સિંહ રાજપૂતના મોત માટે હાલમાં સીબીઆઈને કોઈ પ્રકારની હત્યાનો એંગલ નથી દેખાઈ રહ્યો અને આનો ખુલાસો પહેલા થઈ ચૂક્યો છે.
નગ્ન અવસ્થામાં હુડથી મોઢુ ઢાંકી એક અશ્વેતની પોલિસે કરી હત્યા, પરિવારે જારી કર્યો વીડિયો