સુશાંત સિંહ રાજપુતના શરીર પર હતા ઘા ના નિશાન? પોસ્ટમોટર્મ રૂમમા હાજર વ્યક્તિએ કર્યો દાવો
દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ પ્રશંસકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી બધા આઘાતમાં છે. અભિનેતાએ આત્મહત્યા કરી છે એવું કોઈ માની જ ન શકે.
દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ પ્રશંસકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી બધા આઘાતમાં છે. અભિનેતાએ આત્મહત્યા કરી છે એવું કોઈ માની જ ન શકે. છેલ્લા 2 વર્ષથી ચાહકો સતત દાવો કરી રહ્યા છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. હવે આ મામલે એક એવું અપડેટ સામે આવ્યું છે જે ચોંકાવનારું છે.

અઢી વર્ષ બાદ ખુલ્યુ સુશાંતની મોતનુ રાઝ
તમને જણાવી દઈએ કે જ્યારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના મૃત્યુના અઢી વર્ષ બાદ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ સ્ટાફમાં સામેલ એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

પોસ્ટ મોટર્મ રૂમમા હાજર વ્યક્તિએ કર્યો દાવો
આ વ્યક્તિનું નામ રૂપકુમાર શાહ જણાવવામાં આવી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સમયે સુશાંતનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે અભિનેતાનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે આ વ્યક્તિ સમગ્ર પ્રક્રિયામાં સામેલ હતો. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતનું મોત એક સુનિયોજિત કાવતરું હતું.

અભિનેતાના શરીર પર હતા નિશાન
અહેવાલો અનુસાર રૂપકુમારે કહ્યું, "જ્યારે સુશાંતનું અવસાન થયું, ત્યારે પાંચ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. અમને જાણ કરવામાં આવી હતી કે તેમાંથી એક VIP મૃતદેહ છે, પરંતુ તે સુશાંત સિંહ રાજપૂતનું છે તે અગાઉ જાણવા મળ્યું ન હતું. ત્યાં ઘણા બધા હતા. અભિનેતાના શરીર પર નિશાન અને તેના ગળા પર લગભગ બે-ત્રણ નિશાન હતા.

માર માર્યાના હતા નિશાન
રૂપ કુમારે જણાવ્યું કે, "જ્યારે સુશાંત સિંહ રાજપૂતના કપડા ઉતારવામાં આવ્યા તો તેના શરીર પર માર મારવાના નિશાન હતા. તેના શરીર પરના આ નિશાનોને જોઈને એવું લાગી રહ્યું હતું કે કોઈએ તેને મારવાનો પૂરો પ્રયાસ કર્યો અને તેના હાથ-પગ તોડી નાખ્યા. વીડિયો તેના પોસ્ટમોર્ટમ માટે વીડિયો શૂટ થવાનો હતો, પરંતુ તેમ થયું નહીં."

સિનિયર્સને અપાઇ જાણકારી
રૂપકુમારે વધુમાં કહ્યું, 'જ્યારે મેં તેના શરીર પર ઈજાના નિશાન જોયા, ત્યારે મેં તરત જ અધિકારીઓને જાણ કરી અને કહ્યું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. મેં તેમને એમ પણ કહ્યું કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ. જોકે, તેઓએ મને અભિનેતાના મૃતદેહના ફોટોગ્રાફ્સ ક્લિક કરીને પોલીસને સોંપવા કહ્યું. આ કારણે રાત્રે સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ રાત્રે કરવામાં આવ્યું હતું. કારણ કે અમને સૂચના આપવામાં આવી હતી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
