સુસ્મિતા સેનનુ બ્રેકઅપ? દુઃખ-પીડા પર દર્દનાક પોસ્ટ - એવા સંબંધો જે જખમને સ્પર્શી નથી શકતા
સુસ્મિતા સેનની લેટેસ્ટ પોસ્ટ જોયા બાદ મીડિયામાં અને ફેન્સ વચ્ચે એ વાત પર સવાલ ઉઠી રહ્યા છે કે શું સુષ્મિતાનુ તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થઈ ગયુ છે?
અભિનેત્રી સુસ્મિતા સેન સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને તે ઘણા પ્રકારની પોસ્ટ પણ શેર કરતી રહે છે. છેલ્લા કેટલાક સમયથી સુસ્મિતા સેન લાઈફ અને જખમ પર અમુક પોસ્ટ શેર કરી રહી છે. આનાથી ફેન્સ તેની પોસ્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તેનુ બ્રેકઅપ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન લાંબા સમયથી રોહમન શૉલને ડેટ કરી રહી છે. તે એની સાથે લિવ ઈનમાં પણ રહી ચૂકી છે. એવામાં તેની આ લેટેસ્ટ પોસ્ટ જોયા બાદ મીડિયામાં અને ફેન્સ વચ્ચે એ વાત પર સવાલ ઉઠી રહ્યા છે કે શું સુષ્મિતાનુ તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થઈ ગયુ છે?
લાગી રહ્યુ છે કે શું તેમનુ બ્રેકઅપ થઈ ગયુ
અહીં સુધી કે સુષ્મિતા સેનની આ પોસ્ટ જોયા બાદ ફેન્સને લાગી રહ્યુ છે કે શું તેમનુ બ્રેકઅપ થઈ ગયુ છે. વળી, સુષ્મિતા સેનની એક પોસ્ટ પર તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલે પણ પોતાની કમેન્ટ લખી છે. સુષ્મિતા સેને દુઃખ અને પીડા પર આ પોસ્ટ શેર કરી છે અને લખ્યુ છે કે જ્યાં સુધી આપણે તેને ખુદ ના તોડીએ.
સંબંધો પર વાત
મંગળવારે સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિચાર શેર કર્યો. આમાં સંબંધો પર વાત કરવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યુ હતુ કે જ્યારે એવુ કંઈ થાય છે જેમાં આપણે જિંદગીભર બહાર નથી આવી શકતા...
જે આપણે દુઃખ અને પીડા આપે છે
આમાં આગળ લખવામાં આવ્યુ છે કે આપણે ખુદને એવા સંબંધો તરફ ખેંચીએ છીએ જે આપણે દુઃખ અને પીડા આપે છે. કે પછી એવા સંબંધો જે ક્યારેય દુઃખ અને જખમને સ્પર્શી નથી શકતા.
આપણુ કામ છે જાગવુ
આપણે એક પુનરાવર્તનવાળા કે પછી તેને વિપરીત રસ્તો અપનાવી લઈએ છીએ. આપણુ કામ છે જાગવુ, ખુદને જાગૃત કરવા અને તેમાંથી બહાર નીકળવા તરફ કામ કરવુ.
આ બીજાને મળવાનો રસ્તો
એ આપણને ખુદને બીજાને મળવાના રસ્તે લઈ જાય છે. આ રસ્તો આપણને સક્રિય કરી દે છે પરંતુ આપણને વિશ્વસનીય હીલિંગ તરફ લઈ જાય છે.
આપણે ખુદને હીલ કરી શકીએ છીએ
આ પોસ્ટના કેપ્શનમાં સુષ્મિતા સેને લખ્યુ છે કે પેટર્ન ખુદને અજાણતા પુનરાવર્તિત કરતી રહે છે...જ્યાં સુધી આપણે ખુદ તેને નથી તોડતા. આપણા સૌમાં એ શક્તિ છે કે આપણે ખુદને હીલ કરી શકીએ છીએ.
રોહમન શૉલે પોતાના ઈન્સ્ટાગ્રામ
બીજા તરફ રોહનમ શૉલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે એ વખતે, એ જગ્યાએ મને લાગ્યુ હું એકલો છુ ત્યાં મને આ વૃક્ષનો સાથ મળ્યો.. તેને હવે મે કેદ કરી લીધો છે. આત્મીયતાથી સંબંધને પારકો કરી લીધો છે. રોહમનની આ પોસ્ટ પર સુસ્મિતાએ રિએક્શન આપ્યુ છે.
સુસ્મિતા સેનનુ ઈન્સ્ટાગ્રામ
રોહમનની આ કવિતા પર સુસ્મિતા સેને આના પર રિએક્શન આપીને કહ્યુ છે કે ઉફ્ફ જાન..વાત તો છે.