TMKOC ફેન્સ માટે માઠા સમાચાર, જાણીને થઇ જશો દુખી
ઘણા ટીવી શોના પાત્રો યાદગાર હોય છે, જે ફેન્સના દિલમાં એક આગવું સ્થાન બનાવે છે. આ પાત્રોને કલાકાર એવી રીતે ભજવે છે, જેનાથી તે દર્શકોની લાગણી સાથે જોડાઇ જાય છે.
આવું જ એક પાત્ર છે દયાભાભીનું. દયાભાભીનું પાત્ર તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી સિરિયલમાં છે, જે દિશા વાકાણી ભજવતી હતી.

લાંબા સમયથી દિશા વાકાણી શોમાં જોવા મળી નથી. ઘણીવાર તે શોમાં પરત ફરશે, તેવા સમાચારથી ફેન્સ ખુશ થયા હતા, પણ દિશા વાકાણી શોમાં ન ફરતા તેઓ ફરી નિરાશ થયા હતા. આ વચ્ચે ફેન્સ માટે હાર્ટ બ્રેકિંગ સમાચાર સામે આવ્યા છે.
તાજેતરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર, શોના નિર્માતા આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ દયાબેનના પાત્રને પાછા લાવશે. જે બાદ સમાચાર આવવા લાગ્યા કે, દિશા શોમાં પરત ફરી શકે છે. હવે શોની નજીકના સૂત્રોનું કહેવું છે કે, દિશાની શોમાં વાપસી હજુ નક્કી નથી.
નિર્માતા આસિત મોદી શોમાં દયાબેનના પાત્રને પાછું લાવવા માંગે છે. કારણ કે, ઘણા સમયથી દર્શકોની માંગ હતી. તે દિશાની આ ભૂમિકા માટે રાહ જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં તે આ રોલ માટે વધુ ઓડિશન લઈ રહ્યો છે. દિશા શોમાં પાછી આવે કે ન આવે, તે દિવાળી સુધી શોમાં દયાબેનનું પાત્ર શોમાં પરત લાવશે.












Click it and Unblock the Notifications
