ઉદય ચોપરા હૉલીવુડમાં દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવશે!
મુંબઈ, 7 ડિસેમ્બર : ધૂમ 3ના અલી એટલે કે ઉદય ચોપરા ધૂમ 3 બાદ કદાચ એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ લેશે. જોકે તેમણે એવુ નથી કહ્યું કે તેઓ બૉલીવુડમાં કામ કરવાનું બંધ કરી દેશે, પણ તેઓ પોતાનુ સમગ્ર ધ્યાન હૉલીવુડ ફિલ્મોમાં કેન્દ્રિત કરશે. યશ ચોપરાના નિધન બાદથી આદિત્ય ચોપરા જ યશ રાજ બૅનર જોઈ રહ્યાં છે.

ઉદય ચોપરા ધૂમ 4 અંગે કહે છે - ધૂમ 4 જો બનશે અને જો લેખક ઇચ્છશે કે હું તેમાં કામ કરૂં, તો હું જરૂર કરીશ. એવુ નથી કે હું બૉલીવુડ સમ્પૂર્ણપણે છોડી દઇશ. કામ કરીશ, પણ માત્ર પોતાની હૉબી માટે, નહીં કે પૈસા માટે. ધૂમ 3 અંગે એક્સાઇટેડ ઉદય ચોપરાને એ બાબતની ચિંતા નથી કે ફિલ્મ બૉક્સ ઑફિસે કેવી કમાણી કરશે. તેઓ ઇચ્છે છે કે લોકો તેમની ફિલ્મ પસંદ કરે અને જુએ.












Click it and Unblock the Notifications
