બૉલીવુડનું પ્રતિનિધિત્વ નથી કરતાં વિંદુ : સુનીલ શેટ્ટી
મુંબઈ, 1 જૂન : બૉલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી સવાલ ઉઠાવે છે કે અભિનેતા વિંદુ દારા સિંહની ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીઈએલમાં સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં કથિત લિપ્તતા બાદ સમગ્ર હિન્દી સિનેમા જગત તપાસના ઘેરમાં કઈ રીતે આવી શકે? સુનીલે દૃઢતાપૂર્વક જણાવ્યું કે એકલા વિંદુ આખા બૉલીવુડનું પ્રતિનિધિત્વ ન કરી શકે.

સુનીલ શેટ્ટી મુંબઈ ખાતે આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી 2013 કપના અનાવરણ પ્રસંગે સમ્બોધી રહ્યા હતાં. તેમણે જણાવ્યું - એનો મતલબ એમ નથી કે આખું બૉલીવુડ એવું છે. તેઓ (વિંદુ) બૉલીવુડનું પ્રતિનિધિત્વ નથી કરતાં. એક વ્યક્તિ એક આખા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ ન કરી શકે.
સુનીલે જણાવ્યું - મારા માટે બૉલવુડ એટલે હું, બૉલીવુડ એટલે અજય દેવગણ છે, આમિર ખાન બૉલીવુડ છે. તે કોઈ એક એકલી વ્યક્તિ નથી. જો તે ખોટા છે, તો તેમને ફાંસી આપી દો, પણ દોષી સાબિત થયા બાદ.
નોંધનીય છે વિંદુની પોલીસ રિમાંડ અવધિ સોમવાર સુધી વધારી દેવાઈ છે. વિંદુ દારા સિંહ છેલ્લે અજય દેવગણની સન ઑફ સરદાર ફિલ્મમાં નજરે પડ્યા હતાં.












Click it and Unblock the Notifications
